________________
૧૬ થઈ જાય એમ છે
પ્રત્યયનું ફળ નિર્ણય છે. અર્થાત્ ઈન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષીકરણ થયા પછી વસ્તુનો નિર્ણય થાય છે. પ્રત્યયનું આવું ફળ દરેક વખતે નિષ્પન્ન થતું નથી. દા.ત. પ્રત્યય થયા પછી તેનું વિસ્મરણ થઈ જાય તો તે પ્રત્યય નિર્ણયમાં સહાયક નથી થતો ત્યારે તે નિષ્ફળ ગયો ગણાય.
સમગ્ર ચર્ચાનો સાર એ થયો કે પ્રત્યય અને નિર્ણય વચ્ચે કોઈ સંબંધ નથી. પ્રત્યય અને કર્મ વચ્ચે પણ કોઈ સંબંધ નથી. પ્રત્યય થવાનો
હોય તો થાય, નિર્ણય થવાનો હોય તો થાય. બધું નિયતિને આધીન છે. પાઠચર્ચા : વી, જે મ. અને મુ. – દરેક પ્રતિમાં નિરાઘa' એવો જ પાઠ છે. એ એ જ રીતે દરેક પ્રતિમાં 'વિસ્મૃતઃ' એવો જ પાઠ છે.
નરક આદિ એવો જ અર્થ ગ્રંથકર્તાને અભિપ્રેત હોય તો 'નિરાશે.' એવું પુંલિંગ રૂપ નહિ, પણ 'નિરયા એવું નપુંસકલિંગનું રૂપ ઉચિત થાય. વિસ્મૃતિનો સંદર્ભ જોતાં “નરક એવો અર્થ સુસંગત નથી બનતો. નિર્ણય અર્થવાળો કોઈ શબ્દ અહીં વિષય સાથે મેળ ખાય તેમ છે.
'કવાય' શબ્દ નિર્ણયવાચી છે. 'નિદ્ ઉપસર્ગ સહિત નિરવાય' શબ્દ પણ નિર્ણયના અર્થમાં દિવાકરજીના સમયમાં પ્રચલિત હોય એવી પૂરી શક્યતા છે. એમ જ હોય તો 'નિરવાવઃ' એવું પુલિંગ રૂપ લેતાં અર્થસંગતિ થઈ જાય એમ છે. ' અને ' વચ્ચે લિપિકારના હાથે લેખનદોષ થવાની સંભાવના માની શકાય એવી છે.
ज्ञानमव्यभिचारं चे-जिनानां मा श्रमं कृथाः।
अथ तत्राऽप्यनेकान्तो जिताः स्मः किन्तु को भवान्? ।।१६।। अन्वय : जिनानां ज्ञानं चेत् अव्यभिचारं [तदा] श्रमं मा कृथाः, अथ तत्र अपि
अनेकान्तः [स्यात्, तदा वयं] जिताः स्मः, किन्तु भवान् कः?। અર્થ : જિનોનું જ્ઞાન જો ખોટું ન પડે એવું હોય તો તે (-મોક્ષ માટે-) વ્યર્થ શ્રમ
કરીશ નહિ. હવે જો જિનોના જ્ઞાનમાં પણ અનેકાંત હોય અર્થાત્ કયારેક