________________
૧૮
વિવરણ : એકેન્દ્રિય વગેરે જીવોને જ્ઞાન તો હોય છે પણ અવ્યક્ત હોય છે. એમના બોધમાં ક્રોધ. મોહ, આસક્તિ, ભય જેવા જાત્યન્નર અર્થાત્ રૂપાંતર થતાં હોય એમ માનવું યુક્તિયુક્ત લાગતું નથી. પંચેન્દ્રિય જીવોના જ્ઞાનમાં ભાવોના જાદા જાદા ફેરફાર ચોખ્ખા જણાઈ આવે છે. નિયતિવાદી કહે છે કે એકેન્દ્રિયના જ્ઞાનમાં રૂપાંતર વ્યક્ત નથી, પંચેન્દ્રિયના જ્ઞાનમાં વ્યક્ત છે એટલો જ ભેદ છે. આ રૂપાંતરોને જાદા જાદા નામ આપવા અને તેમાંથી અમુકને સારા ગણવા, બીજાને ખરાબ ગણવા એ કેવી વાત? રાગ-દ્વેષને દોષ માનવા, તેના કારણે કર્મબંધ માનવો, તેના ફ્ળરૂપે સુખ-દુઃખ–સંસારભ્રમણ માનવું વગેરે દ્વારા તમારા આપ્તપુરુષોએ નિરર્થક લંબાણ જ કર્યું છે.
न संसरत्यतः कश्चित् स्वपरोभयहेतुकम् । अभिजातिविशेषात्तु मिथ्यावादमुखो जनः ॥ १८ ॥
अन्वयः अतः स्वपरोभयहेतुकं कश्चित् न संसरति, अभिजातिविशेषात् तु जनः मिथ्यावादमुखः [भवति ] |
અર્થ : આથી (–ફલિત થાય છે કે−) સ્વ–કારણે, પર–કારણે અથવા ઉભયકારણે કોઈ ભવભ્રમણ કરતું નથી. તે તે અભિજાતિના કારણે લોકો મિથ્યા વાદ કરતા રહે છે.
વિવરણ : પ્રારબ્ધવાદ, પુરુષાર્થવાદ, ઈશ્વરકતૃત્વવાદ વગેરેના ખંડન માટેની અત્યાર સુધીની તાર્કિક ચર્ચાના ઉપસંહાર જેવો આ શ્લોક છે. નિયતિવાદી પોતાનો નિષ્કર્ષ આપે છે કે જીવ ભવભ્રમણ કરે છે તે પોતાના રાગ-દ્વેષાદિ દોષોના કારણે કે ઈશ્વર જેવા બહારના કોઈ કારણે નહિ, નિયતિના કારણે કરે છે. જગતમાં સંસાર, મોક્ષ, કર્મ વગેરે વિશેની અનેક માન્યતાઓ ઊભી થઈ છે અને તે અંગે લોકો વાદ ચલાવતા રહે છે તે પણ નિયતિના પ્રભાવ હેઠળ જ થઈ રહ્યું છે.
છ જાતની અભિજાતિઓ છે, તે મનુષ્યોના કાર્યો તથા ધાર્મિકઆધ્યાત્મિક માન્યતાઓના ધોરણે વિભાજિત છે. મનુષ્ય જે અભિજાતિમાં જન્મ્યો હોય તેની અસર હેઠળ જાદી જાદી વિચારધારા ધરાવતો હોય છે.