________________
૨ ૧ ત્યાં દરેકને જુદા ગણવા જેવું રહે શું?
વળી, આત્માઓ જાદા જુદા હોય તો તેનું અને એક જ હોય તો તેનું કારણ શું છે? કશા કારણ વિના ભિન્ન અથવા એક જ હોવાનું માનશો? મનાવશો તો તમારો પોતાનો હેતુવાદ જ ઊડી જશે. દરેક ઘટના/સ્થિતિ માટે તમે કારણ જરૂરી બતાવો છો એ તમારા કાર્ય-કારણવાદની વિશેષતા
પછી કયાં રહી? પાઠચર્ચા: તુચેર્નોન – જે., વી., મ., મુ.
વેશી – જે., વી., મુ. વેશો – મ. વિશોષતઃ – વી., મ., મુ. વિશેષતા – જૈ.
स्पर्शनादिमनोऽन्तानि भूतसामान्यजातिमान्।
मनोऽहन्नियतं द्रव्यं परिणाम्यनुमूर्ति च ।।२१।। अन्वय : स्पर्शनादिमनोऽन्तानि भूतसामान्यजातिमान्, मनः अहन्नियतं परिणामि अनुमूर्ति
च द्रव्यं। અર્થ : સ્પર્શનેન્દ્રિયથી લઈને મન સુધીના પદાર્થો સામાન્ય રીતે ભૂત =જીવ)
કહેવાય છે. મન “અહં એવા રૂપે નિયત થયેલું પરિણમનશીલ અને પ્રત્યેક
શરીર સાથે જોડાયેલું દ્રવ્ય છે. વિવરણ આજીવિકા મતાનુસાર જીવનું સ્વરૂપ આ શ્લોકમાં આપેલું છે. જીવ માટે
ભૂત” શબ્દ તે સમયે વધારે પ્રયુક્ત થતો હશે. અહીં ઈન્દ્રિયોને જ ‘ભૂત” કહ્યા છે. પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું મન એ જ ‘ભૂત' પદાર્થ છે. આનો સૂચિતાર્થ એ છે કે આજીવિકોનો “ભૂત” ખરેખર ભૌતિક પદાર્થ જ છે, કોઈ અમૂર્ત દ્રવ્ય નથી.
ઈન્દ્રિયોની કામગીરી જાણીતી છે. મનની વ્યાખ્યા અહીં આપી છે. અહંકાર- હું છું’, ‘હું કરું છું” વગેરે અનુભવ મનનું કાર્ય છે. આમ, આત્મવાદીઓના “આત્માનું કાર્ય આજીવિકોના મતમાં “મન કરે છે. આ મનની સ્થિતિ બદલાતી રહે છે અને દરેક શરીર સાથે તે જોડાયેલું હોય છે.