________________
૧ ૪
અર્થ : વિદ્યમાન ન હોય એવા હેતુને કારણે (-બુદ્ધિમાં ધમદિની ઉત્પત્તિ-) થાય
છે એવું કહેતાં તો વાંધો પડશે. જે વિદ્યમાન નથી એવું કારણ એક ધારણામાત્ર
છે, તેને કર્તા–નિમિત્ત માનવામાં આવે છે (-એ અસંગત વાત છે). વિવરણ :નિયતિવાદી કહે છે કે બુદ્ધિમાં ધર્મ-અધર્મ આદિ જન્મે છે તેનું કારણ તો
વિદ્યમાન છે-દેખીતું છે, બોલનારના તેવા તેવા કથનથી શ્રોતાના મનમાં ધર્મ કે અધર્મ, વૈરાગ્ય કે અવૈરાગ્ય વગેરે ભાવો જન્મે છે, અથવા તો વ્યક્તિનું પોતાનું ભ્રમપૂર્ણ ઈન્દ્રિય પ્રત્યક્ષ તેના મનમાં તેવા તેવા ભાવ જગાડે છે. આમ, જેનો હેતુ વિદ્યમાન છે તેના માટે નવો હેતુ કલ્પવાની જરૂર નથી. વિદ્યમાન હેતુને છોડીને અસત્ (જે “નથી તે) હેતુના કારણે ધર્માદિ થાય છે એવી વાત માન્ય નહિ કરી શકાય.
આ “અસત્ હેતુ કર્મ, ઈશ્વર, આત્મા હોઈ શકે, નિયતિવાદીના મતે આ વસ્તુઓ મતિકલ્પના જ છે. તેમનામાં કર્તૃત્વ સ્થાપિત કરવું એમાં તાર્કિકતા નથી. જે વસ્તુ નથી” તે કોઈ ઘટનાની કર્તા કેવી રીતે બની શકે?
भङ्गुरश्रवणाद्यर्थ-संविन्मात्रे निरात्मके।
રાવિશાની યાત્મતે, ચં?? ક્રિમિયમ? આશકા. अन्वयः भङ्गुरश्रवणाद्यर्थसंविन्मात्रे निरात्मके [सति] रागादिशान्तौ ते अयं यत्नः
વિમિતિ?થં? ?. અર્થ: શ્રવણેન્દ્રિય વગેરે ઈન્દ્રિયો, તેના વિષયો, તેની સંવિત્ (=જ્ઞાન)-આ બધું
જ જ્યાં નશ્વર છે અને તેનામાં “આત્મા” નથી ત્યારે રાગ-દ્વેષ આદિની
શાંતિ માટેનો આ પ્રયાસ વળી કેવો? શા માટે? અને કરે કોણ? વિવરણ : નિયતિવાદી મોક્ષ માટેના પુરુષાર્થને પણ અનાવશ્યક માને છે. જૈન આગમો
અને બૌદ્ધ ત્રિપિટકોમાં આજીવિક સંપ્રદાયનું વર્ણન છે ત્યાં આજીવિક શ્રમણોના કડક વ્રતો વગેરેના ઉલ્લેખ આવે છે. આત્માનું ભવભ્રમણ અને નિયતિના ક્રમ મુજબ અંતે તેનો મોક્ષ પણ તેઓ માનતા હતા. પરંતુ દિવાકરજીના સમય સુધીમાં નિયતિવાદીઓ “અનાત્મવાદી” બની ચૂકયા