________________
૧
૧
અર્થ : ઘણે દૂર જઈને પણ તારો હેતુવાદ ( કાર્યકારણવાદ) પાછો ફરવાનો છે.
સ્વભાવ જેમાં પ્રમુખ ન હોય એવો કોઈ લોકધર્મ (જગતની વસ્તુ કે ઘટના)
છે જ નહિ. વિવરણ :ન્યાયદર્શનમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન તથા આપ્તવાક્ય એવાં ચાર
પ્રમાણો માનવામાં આવ્યા છે. આજીવિકોએ એવાં પ્રમાણો સ્વીકાર્યા નથી, પણ તૈયાયિકોની શૈલીથી પોતાના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતાં શાસ્ત્રો તેમણે રચ્યાં હતા અને દિવાકરજી એવા તાર્કિક ગ્રંથનો સારસંક્ષેપ આ બત્રીશીમાં આપી રહ્યા છે એ સુનિશ્ચિત છે. જૈન-બૌદ્ધના ગ્રંથોમાં આજીવિક સિદ્ધાંતોના ઉલ્લેખો મળે છે ત્યાં પ્રમાણ શૈલીથી નિરૂપણ થયેલું નથી. નિયતિ દ્વાત્રિશિકાના પ્રથમના નવ શ્લોકોમાં પ્રત્યક્ષ પ્રમાણના સંદર્ભમાં ચર્ચા થઈ છે. હવે અનુમાન પ્રમાણ/તર્કને કેન્દ્રમાં રાખીને ચર્ચા શરૂ થાય છે.
નિયતિવાદી કહે છે કે તર્ક અને અનુમાન દ્વારા કશું પણ સિદ્ધ કરવાનો પ્રયાસ વ્યર્થ છે. કોઈ વસ્તુ આવી શા માટે છે, બીજી રીતે કેમ નથી–એના ખુલાસા તર્ક દ્વારા ભલે અપાય, પરંતુ એક બિંદુ એવું આવે જ છે કે જ્યાં કોઈ પણ કારણ દર્શાવી શકાતું નથી, તેનો સ્વભાવ જ એવો છે એ વાત પર પાછા આવવું પડે છે. આથી કારણો અને હેતુઓ શોધવાનો આગ્રહ કે વ્યાયામ તજી દેવો જોઈએ.
નિયતિવાદી માને છે કે જગતમાં એક પણ એવો પદાર્થ નથી કે જેના પર સ્વભાવનું આધિપત્ય ન હોય. હવે સ્વભાવ તો નિયતિકૃત છે, માટે નિયતિ જ સર્વ ઘટનાઓનું એકમાત્ર કારણ છે.
પાઠચર્ચા : વાધ્યક્ષો – વી.
प्रवर्त्तितव्यमेवेति प्रवर्त्तन्ते यदा गुणाः ।
अथ किं संप्रमुग्धोऽसि ज्ञानवैराग्यसिद्धिषु? ॥११॥ अन्वयः 'प्रवर्तितव्यं एव' इति यदा गुणाः प्रवर्त्तन्ते, अथ ज्ञानवैराग्यसिद्धिषु किं
સંપ્રમુધઃ સિ? |