________________
૧૦ पृथिव्या नावरुध्येत यथा वा राजतक्रिया ।
गुणानां पुरुषे तद्व-दहं कर्तेत्यहंकृतिः ।।९।। अन्वयः यथा वा राजतक्रिया पृथिव्या (=पृथिवीत्वेन) न अवरुध्येत, तद्वत् पुरुषे अहं
कर्ता' इति अहंकृतिः [न अवरुध्येत]। અર્થ: રૂપે (રજત) (-પૃથ્વીતત્ત્વ હોવા છતાં-) તેની રજત તરીકેની ક્રિયા તેના
પૃથ્વીત્વના કારણે અવરોધાતી નથી. તેવી રીતે (સત્વ, રજસ, તમસ
આદિ-) ગુણોનો હું કર્તા છું એવો અહંકાર પુરુષમાં સ્થાન લઈ શકે છે. વિવરણ: આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવામાં “અહંપ્રત્યય એક મહત્ત્વનું પ્રમાણ
ગણાય છે. “હું છું એવો અનુભવ પ્રત્યેકને થાય છે. શરીરની અવસ્થાઓ બદલાય છે પણ એવોને એવો રહે છે, માટે તેને શરીર સાથે સંબંધ નથી. હું છું, હું જાણું છું કે હું કરું છું એવી પ્રતીતિનો આધાર આત્મા છે એવી પ્રતીતિના આધારે આત્મવાદીની દલીલ એવી છે કે જો નિયતિવાદીના કહેવા મુજબ જ્ઞાન સ્વયં થાય છે, તેનો કોઈ કર્તા નથી, તો પછી જાણું છું-હું કર્તા છું” વગેરે પ્રતીતિ જીવને થાય છે તેનું શું? - નિયતિવાદીનો ઉત્તર : જ્ઞાનનો કર્તા ન હોવા છતાં આત્મામાં અહંપ્રત્યય' ઉત્પન્ન થઈ શકે છે. જ્ઞાનની સ્વાયત્તતા તેમાં અવરોધ નહિ કરે. રજત એટલે કે રૂપું, પૃથ્વીતત્ત્વ જ છે, છતાં તેમાં રજતત્વ પણ ઉદ્ભવે છે, તેનું પૃથ્વીત્વ તેમાં અવરોધ કરતું નથી. એવી રીતે ગુણો અને બોધ સ્વયં પ્રવર્તતા હોવા છતાં પુરુષ (જીવ) “હું આનો કર્તા છું' એવો
અહંકાર કરી શકે, પણ તેથી તે કર્તા થઈ જતો નથી. પાઠચર્ચા: ‘ત્યો –મ, વી., મુ.
અત્યન્ત – જે.
सुदूरमपि ते गत्वा हेतुवादो निवस्य॑ति ।
नहि स्वभावानध्यक्षो लोकधर्मोऽस्ति कश्चन ॥१०॥ अन्वयः सुदूरं अपि गत्वा ते हेतुवादः निवर्त्यति, स्वभावानध्यक्षः कश्चन लोकधर्मः
नहि अस्ति।