________________
- શેયના કથન સાથે જ્ઞાન ઉત્પન્ન થતું નથી.
શેયની ઉત્પત્તિ સાથે તેના જ્ઞાનની ઉત્પત્તિ થતી જોવા મળતી નથી. - જ્ઞાનનો (જે તે પદાર્થના ઈન્દ્રિયાનુભવનો) વિનાશ શેયના નાશ
સાથે સંકળાયેલો નથી. - માટે જ્ઞાન શેયજન્ય નથી.
શેય પદાર્થના બોધ-જ્ઞાનનો તે પદાર્થના નારા સાથે સંબંધ હોય તો તે કેવા પ્રકારનો હોઈ શકે? નિયતિવાદી બે વિકલ્પ આપે છે : ભોગ્ય પદાર્થની જેમ, અથવા ભક્ષ્ય પદાર્થની જેમ.
કોઈ વસ્તુનો વારંવાર ઉપભોગ કરવામાં આવે તો અમુક સમય પછી તે ઘસાઈ જઈને નાશ પામે છે. વસ્ત્ર વગેરે ભોગ્ય પદાર્થો ગણાય, વારંવાર ઉપયોગમાં લેવાતાં અમુક સમયે તેમનો નાશ થાય છે. કેટલીક વસ્તુઓ એક જ વારના ઉપયોગ સાથે નાશ પામે છે. અન્ન જેવા ભક્ષ્ય પદાર્થો એ રીતે નાશ પામે છે. વસ્તુનો બોધ જો વસ્તુમાંથી–વસ્તુના લીધે–જન્મતો હોય તો આ બેમાંથી કોઈ એક પ્રકારે તેનો નાશ થવો જોઈએ. વારંવારના ઈન્દ્રિયાનુભવ પછી તે અનુભવ બંધ થઈ જવો જોઈએભોગ્ય પદાર્થની જેમ તે વપરાઈ જઈને ઘસાઈ જઈને નાશ પામવો જોઈએ, કાં તો એકવારના ઈન્દ્રિયાનુભવ પછી ફરી તે અનુભવ ન થવો જોઈએભક્ષ્યની જેમ તેનો નાશ થવો જોઈએ.
પરંતુ એવું થતું નથી. વસ્તુનું પ્રત્યક્ષીકરણ ગમે તેટલી વાર થાય છે. એથી સિદ્ધ થાય છે કે શેયની ઉત્પત્તિ સાથે જ્ઞાનની ઉત્પત્તિ નથી, અને શેયના નારા સાથે તેનો નાશ નથી. પદાર્થો સ્વયં પરિણમે છે અને તેમનો બોધ પણ સ્વયં નિયતિ બળે થાય છે. તેનો કોઈ કર્તા માનવાની જરૂર
નથી. પાઠચર્ચા ત્રણ હસ્તપ્રતોમાં અને મુદ્રિત પ્રતિમાં નોતામ્યાં એવો જ પાઠ મળે છે.
એવા પાઠ સાથે અર્થસંગતિ કરી શકાતી નથી. 'ફક્ત' પાઠ કલ્પીને અર્થ બેસાડ્યો છે. આ શબ્દ હજી વધારે સ્પષ્ટતા માગે છે. નારણ્યાત – વી., જે., મ.