________________
18
સૂચક શબ્દો
न च दुःखमिदं स्वयं कृतं न परैर्नोभयजं न चाकृतम्। नियतं न न वाक्षरात्मकं विदुषामित्युपपादितं त्वया ।।
તા. ૪, શ્લો. ૨૪ આ દુઃખ સ્વકૃત નથી, અન્ય દ્વારા ઉત્પન્ન કરાયેલું પણ નથી, પોતે અને બીજા – એમ બંને મળીને તેનું નિર્માણ ક્યું છે એમ પણ નથી, કોઈના કર્યા વગર જ તે ઉદ્ભવે છે એમ પણ નથી, તે પૂર્વનિયત નથી, તેમ તે નિત્ય પણ નથી. હે પ્રભુ! તમે સુજ્ઞ જનોને આમ પ્રબોધ્યું હતું.
ज्ञेयः परसिद्धान्तः स्वपक्षबल निश्चयोपलब्ध्यर्थम्। परपक्षक्षोभणम-भ्युपेत्य तु सतामनाचार ॥
દ્વા. ૮, ગ્લો. ૧૬
પોતાના પક્ષના બળાબળનો નિશ્ચય કરવાના હેતથી પરપક્ષના સિદ્ધાંતોનો અભ્યાસ કરવો યોગ્ય છે. પરપક્ષને હરાવવાના ઉદેશથી એવો અભ્યાસ કરવો એ તો સજ્જનો માટે અનાચાર ગણાય.
दैवखातं च वदन-मात्मायत्तं च वाङ्मयम्। श्रोतारः सन्ति चोक्तस्य निर्लज्जः को न पण्डितः?।।
તા. ૧૨, શ્લો. ૧ મોટું વિધાતાએ કોતરી આપ્યું છે, સાહિત્ય બધું સ્વાધીન છે, બોલેલું સાંભળી લેનારા લોકો મળી રહે છે, તો પછી કયો નિર્લજ્જ માણસ વિદ્વાન–વકતા-વિચારક બનવા ન ઈચ્છે?
- શ્રી સિદ્ધસેન દિવાકર