________________
કરવાના વલણવાળું છે અને પાપ, પુણ્યને હાનિ પહોંચાડનારું છે. જો જીવ તેમનો કર્તા હોય તો પરસ્પર વિરોધી એવી બે વસ્તુનું નિર્માણ તે શા માટે કરે? અને કરી પણ શી રીતે શકે? અથવા તો, એકલા ધર્મનું જ ઉપાર્જન કરે, અને સુખ જ ભોગવે. પરંતુ જીવો દુઃખ ભોગવતા પ્રત્યક્ષ રૂપમાં જોવા મળે છે. આનો અર્થ તો એવો જ નીકળી શકે કે ધર્મઅધર્મનું ઉપાર્જન જીવના હાથમાં નથી.
વળી, ધર્મ કે અધર્મના આચરણમાં દેશ-કાળ જેવી વસ્તુઓની અપેક્ષા રહે છે એવું પુરુષાર્થવાદીઓ અને પ્રારબ્ધવાદીઓ પણ માને છે. આ રીતે પણ પુણ્ય-પાપના સર્જનમાં જીવાત્મા સ્વતંત્ર નથી એમ સિદ્ધ થાય છે.
જગતની સર્વ ઘટનાઓ પાછળ પુરુષાર્થ જ કારણરૂપ છે એવી માન્યતા એ પુરુષાર્થવાદ છે. પુરુષાર્થ આત્મા જ કરી શકે એટલે પુરુષાર્થવાદી આત્મવાદી જ હોય. આમ, પુરુષાર્થવાદને આત્મકતૃત્વવાદ પણ કહી શકાય.
यत्प्रवृत्त्योपमर्दैन वृत्तं सदसदात्मकम् ।
तद्वेतरनिमित्तं वे-त्युभयं पक्षघातकम् ।।५।। अन्वयः यत्प्रवृत्त्या [यद्-]उपमर्दैन सदसदात्मकं वृत्तं [जायते), तद् वा [=तन्निमित्तं
वा] इतरनिमित्तं वा - इति उभयं पक्षघातकम् । અર્થ : જેના પ્રવર્તવાથી અથવા જેના દબાણથી સારું અથવા ખરાબ આચરણ થાય
તે (=પ્રર્વતન કરનાર) અથવા ઈતર (=દબાણ કરનાર) પદાર્થ જ તે તે આચરણનું નિમિત્ત ગણાય. (પરંત) આ બંને વિકલ્પ (-તમારા-) પક્ષને
નષ્ટ કરનારા છે. વિવરણ સારું અથવા ખરાબ આચરણ સારા કે ખરાબ પ્રારબ્ધને જન્મ આપે છે,
પ્રારબ્ધ શરીરાદિનું જનક કારણ બને છે એવું માનનારા આત્મવાદીને નિયતિવાદીનો પ્રશ્ન છે કે સર્વ પ્રથમ જે તે આચરણનું નિમિત્ત અર્થાત કર્તા તમે કોને માનો છો?