Book Title: Niyati Dwatrinshika
Author(s): Bhuvanchandra Muni
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 22
________________ अन्वय : शरीरेन्द्रियसंविदां धर्माधर्मात्मकत्वे तु 'इदमेव' इति, 'न' इति वा पुरुषकारः कथं स्यात्?। અર્થ: શરીર, ઈન્દ્રિયો અને સંવેદન જો પુણ્ય-પાપના નિમિત્તે થનારાં હોય તો “આ અમુક છે એવો અથવા “આ અમુક નથી એવો નિર્ણય કરવાનો-) પુરુષાર્થ શી રીતે સંભવે? - વિવરણ આત્મવાદી દર્શનો પ્રારબ્ધમાં માને છે. જીવ પુણ્ય/પાપ ઉપાર્જન કરે છે અને પછી તે મુજબ તેને શરીરાદિ પ્રાપ્ત થાય છે. આમ, જો શરીરઈન્દ્રિય-સંવેદન (ઈન્દ્રિયો દ્વારા થતો બોધ) વગેરે પ્રારબ્ધના કારણે ઉત્પન્ન થતા હોય તો ઈન્દ્રિયાનુભવ પણ પ્રારબ્ધને આધીન ગણાય. ઈન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષીકરણ થતી વખતે “આ અમુક વસ્તુ છે” અથવા “આ અમુક નથી” એવા નિર્ણય પર આવવા માટે જે માનસિક વ્યાપાર થાય છે તે આથી નિરર્થક જ બની જાય છે. આત્મવાદી આવા પુરુષાર્થને કાર્યકારી માને છે, પણ જો તે પ્રારબ્ધને પણ માનવા જશે તો પુરુષાર્થ ઊડી જશે. નિયતિવાદ મુજબ પ્રારબ્ધ જેવું કંઈ નથી; તેમજ જે માનસિક પુરુષાર્થ થતો દેખાય છે તે પણ તેવી નિયતિના કારણે. બધું જ નિયત છે એટલે પુરુષાર્થ પણ નિયત જ છે એવો આ દલીલનો સાર છે. शरीरेन्द्रियनिष्पत्तौ यो नाम स्वयमप्रभुः । तस्य कः कर्तृवादोऽस्तु तदायत्तासु वृत्तिषु? ।।३।। अन्वय ः यः स्वयं शरीरेन्द्रियनिष्पत्तौ नाम अप्रभुः, तस्य तदायत्तासु वृत्तिषु कः कर्तृवादः अस्तु?। અર્થ: શરીર અને ઈન્દ્રિયોના નિર્માણમાં જે પોતે ખરેખર અસમર્થ છે, તે (આત્મા) શરીરાદિને આધીન એવી વૃત્તિઓ (-સંવેદન, વિચાર આદિ–)નો કર્તા છે એવો દાવો કેવી રીતે કરી શકાશે? વિવરણ પુરુષાર્થ જેવું કંઈ હોઈ શકતું જ નથી એ મુદાના સમર્થનમાં અહીં એક પ્રબળ તર્ક રજૂ થયો છે. શરીર અને ઈન્દ્રિયો પ્રારબ્ધને આધીન છે પણ સંવેદન તો આત્માના હાથમાં છે અર્થાત્ ઈન્દ્રિયોથી થતા બોધનો કર્તા

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50