Book Title: Niyati Dwatrinshika
Author(s): Bhuvanchandra Muni
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 13
________________ 12 ઉપલબ્ધ એકવીસ બત્રીસીઓ પર વિજય લાવણ્યસૂરિજીએ ટીકા રચી છે, પરંતુ નિયતિવાદનું સંદર્ભ સાહિત્ય તેમની સમક્ષ ન હોવાથી આ બત્રીસીનું અર્થઘટન વિવરણ બીજી દિશામાં ફંટાઈ ગયું છે. આજીવિક સંપ્રદાયનો સર્વગ્રાહી પરિચય તથા તલનાત્મક વિશ્લેષણ જેમાં છે એવું શ્રી એ. એલ. બશમનું પુસ્તક ભારે પરિશ્રમપૂર્વક લખાયેલું છે અને તે પ્રસ્તુત અનુવાદમાં સંદર્ભગ્રંથ તરીકે સહાયક બન્યું છે. તેમ છતાં આ બત્રીસીમાં જે તાર્કિક નિરૂપણ છે તેની ચર્ચા એ પુસ્તકમાં નથી; અન્ય કોઈ પુસ્તકમાં પણ નથી. નવાઈની વાત તો એ છે કે શ્રી બશમે પોતે ઉપયોગમાં લીધેલા આજીવિક મત સંબંધિત પસ્તકોની વિસ્તૃત ગ્રંથસૂચિ (Bibliography) આપી છે તેમાં ‘નિયતિ દ્વાત્રિશિકાનું નામ પણ નથી! એનો અર્થ એટલો જ કે આજીવિકા મતની મૌલિક ચર્ચાયુકત આ રચના શ્રી બશમના ધ્યાનમાં જ નથી આવી. પ્રારંભના વીશ શ્લોકોમાં નિયતિવાદીઓએ પુરુષાર્થવાદ, કર્મવાદ, કર્તૃત્વવાદના ખંડન માટે યોજેલા તર્કોનો સાર ગૂંથી લેવાયો છે. બાકીના શ્લોકોમાં આજીવિકોની અન્ય માન્યતાઓ વિશે થોડું કહેવાયું છે. આજીવિકોની માન્યતાઓનું સમગ્ર સંકલન આમાં નથી, જ્યાં કંઈક નોંધપાત્ર લાગ્યું તેટલું જ જાણે નોંધ્યું છે. આના પરથી એવું અનુમાન થઈ શકે કે તે સમયે આજીવિક સિદ્ધાંતો સારા પ્રમાણમાં જાણીતા હોવા જોઈએ. નિયતિ દ્વાત્રિશિકાના અર્થ અને તાત્પર્ય સુધી પહોંચવા માટે ઠીક ઠીક માનસિક વ્યાયામ કરવો પડ્યો છે. આજીવિક તર્કવાદને સમજવામાં સહાયક થાય એવી કોઈ સામગ્રી છે નહિ, અને હશે તો તે જાણવામાં નથી આવી. સંસ્કૃત ભાષાના લાઘવ તથા યત્તત્ જેવા શબ્દોના યથેચ્છ ઉપયોગ દ્વારા અતિ ઘનિષ્ઠ રૂપે તર્કોનું સંકલન થયું છે, તેમાં પણ પૂર્વપક્ષ તો આપ્યો નથી, માત્ર ઉત્તરપક્ષ છે. અન્ય પક્ષોના કયા વિધાનનો પ્રતિવાદ કરાઈ રહ્યો છે તે જાણ્યા વિના તાત્પર્ય પકડવું મુશ્કેલ બની રહે. જેટલું સમજાયું તેટલું અહીં રજૂ કર્યું છે. આની ચકાસણી તજજ્ઞો કરશે અને ક્ષતિઓ દૂર કરશે એવી અભિલાષા/અપેક્ષા રાખી છે. કેટલાંક સ્થળ સંદિગ્ધ રહ્યા છે, છતાં જેટલું ઊકેલી શકાયું તેટલું પ્રગટ કરી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50