Book Title: Mul ma Bhul
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિવેદન જૈન તત્ત્વજ્ઞાનમાં ઉપાદાન-નિમિત્તનું સ્થાન એવું છે કે તેના યથાર્થ જ્ઞાન સાથે ધર્મ-અધર્મનો સંબંધ છે. ઉપાદાન અને નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરવામાં જગતના જીવોની ઘણી મોટી અને સ્પષ્ટ- “વછેરાનાં ઇંડાં” ને દેખવા જેવી* -ભૂલ થઈ રહી છે. એ મહાન ભૂલને જીવ જ્યાં સુધી નથી ટાળતો ત્યાં સુધી તેનું કલ્યાણ થતું નથી. આ પુસ્તક તે મૂળભૂત ભૂલનું સ્વરૂપ અને તેને ટાળવાનો સચોટ ઉપાય દર્શાવે છે. આત્માનો જ્ઞાનસ્વભાવ સ્વ-પર પ્રકાશક હોવાથી તે સ્વને જાણતાં પરને પણ જાણે છે; પોતામાં જે કાર્ય થાય તેને અને તે વખતે બાહ્ય સંબંધરૂપ અન્ય દ્રવ્યોને પણ જાણે છે, એવું જ્ઞાન-સામર્થ્ય છે. કાર્ય થવા માટેની પદાર્થની તે વખતની લાયકાતને “ઉપાદાન” કહેવાય છે ને સંયોગી પર પદાર્થોને નિમિત્ત' કહેવાય છે. ઉપાદાન નિમિત્તનું યથાર્થ જ્ઞાન તે સ્વપરના કારણ છે. જેમને આત્મજ્ઞાન નથી એવા અજ્ઞાની જીવો ઉપાદાન અને નિમિત્તના સાચા સ્વરૂપને ઓળખતા નથી; સાચા * “વછેરાનાં ઇંડાં દેખવા સંબંધી હકીક્ત માટે જુઓ-પૃ. ૧૫૦ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 226