Book Title: Kumarpal Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh

View full book text
Previous | Next

Page 296
________________ આદ્મભટને વિજય ૨૪૯ તે રાજા પિતાના નગરમાંથી નીકળી આઝભટના રોન્યની નજીકમાં જઈ રીન્યને પડાવ કરી ત્યાં રહ્યો. આભટને વિજય ચૌલુક્યના દૂતે પણ આમ્રભરના આગળ આવી મલ્લિકાર્જુનનાં -સર્વ વચન નિવેદન કર્યા. પ્રભાતકાળમાં ઉદ્ધત સુભટરૂપી તરંગોથી વ્યાપ્ત પૂર્વ અને પશ્ચિમ દિશાના સમુદ્ર સમાન તે બંનેરો યુદ્ધ માટે રણભૂમિમાં આવ્યા. તેમજ તે સમયે પ્રૌઢ ગજે પર બેઠેલા, વિવિધ પ્રકારના શવડે ભયંકર, હૃદયમાં ધર્યરૂપ અને બહારથી લેહમય કવચને વહન કરતા શ્રી આમ્રભર તથા શ્રી મલ્લિકાર્જુન રાજા બંને જણ ઉત્કટ પરાક્રમશાલી શરભ (સિંહવિશેષ)ની માફક એક બીજાની સન્મુખ થયા. યુદ્ધને ઉચિત અને વાણીથી ન કહી શકાય તેવી શરીરની આકૃતિ જોઈ તેઓ બંને હૃદયમાં ક્ષણમાત્ર પરસ્પર આશ્ચર્ય પામ્યા. આશ્રમટ બો. હે રાજન ! આ સુભટને લડાવીને મનુષ્યકીટોને વિનાશ વ્યર્થ શામાટે કરે જોઈએ? રાજપિતામહ” એ બિરૂદ તે પિતે જ મેળવેલું છે, માટે હાલમાં તારું પરાક્રમ જોવાની હું ઈચ્છા રાખું છું. ચાલો આપણે બંને યુદ્ધ કરીએ અને આ સર્વે સૈનિકે આપણા બંનેનું પરાક્રમ, હાલમાં જાણી શકે. તે સાંભળી મલ્લિકાર્જુન બોલ્યો. હે મહા સુભટ! બહુ સારૂં, બહુ સારૂ. એમ તેની પ્રશંસા કરી અને વિશેષમાં તેણે કહ્યું કે, આ તારા દઢ વૈર્યવડે હું બહુ ખુશી થયે છું. તને અવશ્ય પ્રચંડ મારૂં ભુજબળ બતાવું. પરંતુ તું વાણીઓ છે, માટે તેને મારવાને ફુરણાયમાન આ -ભુજાબળ લજજા પામે છે.

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320