________________
ગુરુ પ્રાર્થના
૨૬૧ તું ઈચ્છતો હોય તે મૂર્તિમાન પરબ્રહ્મ સમાન આ સૂરીશ્વરની સેવા કર.
વળી આ સૂરીશ્વર સર્વદેવને અવતાર છે. નિષ્કપટ (શુદ્ધ) બ્રહ્મચારી છે. બાલ્યાવસ્થાથી આરંભીને ચારિત્રધારી છે. સિદ્ધાન્તના પારગામી છે.
જ્ઞાનવડે કરમાં રહેલા આમળાની માફક સમ્યફપ્રકારે અન્ય જનેના મનની સ્થિતિ જાણે છે.
એટલું જ નહીં પણ હાલમાં બ્રહ્મા સમાન તત્વજ્ઞાની આ મહામુનિ પૃથ્વી પર વિજયવંત વર્તે છે. ' હે ભુપાળ ! એમના કહ્યા પ્રમાણે વર્તવાથી તું પિતાનું ઇષ્ટ કાર્ય સિદ્ધ કરીશ. એ પ્રમાણે કહી શંકર સ્વપ્નદૃષ્ટની માફક અદશ્ય થઈ ગયા. ગુરુ પ્રાર્થના
ત્યારબાદ પ્રસન્ન થયેલા ગૂર્જરેશ્વરે સૂરિને કહ્યું.
હે ભગવન ! ખરેખર તમે જ ઈશ્વર છે, કારણ કે મહેશ્વર પણ આપના સ્વાધીન છે.
વળી હે જગદ્ગુરુ ! મેં પૂર્વભવમાં પાકાં પુણ્ય કર્યા હશે કે, જેના તમારા સરખા તત્ત્વદશગુરુ વિરાજે છે.
આજથી આરંભી મારા ગુરુ, પિતા, માતા, બંધુ અને મિત્ર પણ તમે એક જ છે. અન્ય કેઈ નથી.
તેમજ આપે પ્રથમ મને જીવિતદાન આપવાથી આલેક આપે છે અને હવે શુદ્ધધર્મના ઉપદેશવડે પરલોક પણ આપે.
ગુરુ મહારાજ બોલ્યા. જે એ તારો નિશ્ચય હેતે હાલમાં પાપની માફક માંસાદિક અભક્ષ્ય વસ્તુને તું ત્યાગ કર. પછી હું તને ધર્મોપદેશ આપું.
હવેથી હું આપના કહ્યા પ્રમાણે વર્તીશ, એમ કહી બહુ આનંદ