Book Title: Khemo Dedrani Veer Bhamashah Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 7
________________ ખેમો દેદરાણી સ્થાને બેસે છે.) બાદશાહ–વજીર! સંભળાવો, આજકાલ શહેરની શી હાલત છે? વજીર-હજૂરના ઇકબાલથી પ્રજા આનંદમાં છે. બાદશાહ–મંત્રીજી કહેતા હતા કે ગુજરેલી સાલમાં પાણી કમ વરસ્યું હતું, એટલા માટે અત્યારથી પાણીની તંગી થઈ રહી છે. શું એ વાત સાચી છે ? કેમ, મંત્રીજી, શી હકીકત છે? મંત્રી–જી હજૂર, બિલકુલ ઠીક છે ! વજીર– એ વાત મારા સાંભળવામાં પણ આવી છે, પરંતુ હજૂરની મહેરબાનીથી એનો બહુ જલદી બંદોબસ્ત થઈ જશે. (સિપાહી પ્રવેશ કરે છે, અને કહે છે.) સિપાહી–ચાંપસી શેઠ અને ઉમરાવ સાદુંલખાં સાહેબ ખિદમતમાં હાજર થવા ચાહે છે. બાદશાહ–આવવા દ્યો. ચાંપસી–(વાંકા વળી બાદશાહને ત્રણ વાર સલામ કરતાં) બાદશાહ સલામત, ઘણું જીવો ! કંઈ હુકમ ! બાદશાહ--શેઠજી, આપનું એક જરૂરી કામ પડ્યું છે. ચાંપસીસરકારની ખિદમતમાં સેવક દરેક રીતે તૈયાર છે. બાદશાહ–આપ જાણો છો કે ગઈ સાલ પાણી કમ વરસ્યું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education InternationalPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36