Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 31
________________ વીર ભામાશા ર૯ .. . .ن.ت. من. પણ નાનાં કોમળ બાળકોને ભૂખ્યાં ટળવળતાં કેમ જોઈ શકે? એક દિવસની વાત છે. બબ્બે દિવસના ઉપવાસ છે. સૂકો એક રોટલો બચ્ચાં માટે રાખી મૂકયો છે. એ રોટલો પણ રાની બિલાડો ઉપાડી ગયો. બાળકો કલ્પાંત કરવા લાગ્યાં. મેવાડનાં મહારાણી પણ ડગી ગયાં. અરે, આપણા જ જાતભાઈઓ આજ અકબરને માથું નમાવી સોનાની મેડીઓમાં બત્રીસ પકવાન જમે છે. એમનાં છોકરાં ખીર ને ખાજાં જમે છે. અને આપણા આ દહાડા, હે પ્રભુ ધર્મીને જ ઘેર ધાડ? ત્યાં બાદશાહ અકબરનો દૂત આવે છે. કહે છે, કે બાદશાહને નમો તો તમારું રાજપાટ તમને પાછું, ને દિલ્હીના દરબારમાં ઊંચો હોદ્દો મળે. અરે, પણ મેરુ ચળે તો રાણા પ્રતાપ ચળે. હું એક આર્ય ! મારા બાપદાદાના નામને કેમ કલંક લગાડું? મારી બહેનદીકરી યવનને કેમ આપું? રાણાજીએ ના પાડી. દૂત પાછો ગયો, પણ પછી તો મોગલ સેનાનાં ધાડાં છૂટ્યાં. રાણાજીને પૃથ્વી, પાતાળ કે આકાશમાં આશરો ન રહ્યો. તેમણે છેવટે વિચાર કર્યો : વહાલી માતૃભૂમિ મેવાડની સ્વતંત્રતા હવે રહે તેમ લાગતી નથી, પણ બાદશાહના દાસ થઈને જીવવા કરતાં પરદેશમાં જઈ વસવું શું ખોટું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36