Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- લાજ તેમણે રાખી હતી. અને સરકારને શી અર્જ કરું? પનરોતરા કાળે તે દિવસથી સોગન ખાધા, કે હવે હું ફરીથી દુનિયામાં નહિ આવું. ખરેખર, એવો દુકાળ પાછો દુનિયામાં પડ્યો પણ નથી. બાદશાહ સલામત, જગડુશાહને તે સમયથી દકાલદોહત્ય'નું બિરુદ મળ્યું છે, અને તેથી જ અમે તેમની તારીફ કરીએ છીએ. બાદશાહ–(ગુસ્સામાં આવીને) બારોટ, વાણિયાઓની તારીફ તમે બહુ કરી, પરંતુ તે તારીફ સાચી કરી બતાવવાનો સમય આવી પહોંચ્યો છે. દેશની કેવી હાલત છે, એ તો તમે જાણતા જ હશો. તપાવેલા તાંબા જેવું આકાશ છે. બાદલ બરસતાં જ નથી. ઠંડી હવા ફૂંકાયા કરે છે. આ વર્ષે પણ દુકાળ દેખાય છે. આવી હાલતમાં તમારા શાહો'ને કહો કે તેઓ એક વર્ષ સુધી લોકોને અનાજ પૂરું પાડે. નહિ તો તમે અને તેઓ બન્ને ગુનેગાર ગણાશો. મતલબ, તેમની “શાહ” પદવી લઈ લેવામાં આવશે, અને તમને પણ સજા કરવામાં આવશે. ભાટ–બાદશાહ સલામત, બંભ કહે અંબફલ કબહી, કડુવા રસ ક્યમ હોવે; કપડે સૂતકે સુંદરું રે, કોઈ ધોબી આગમાં ન ધોવે. સત્યવતી સત્યવાચા પાલે, નક્ષત્રી મારગ ચૂકે; કહે વારિક કુલવટ ભાટ હૈ, મહાજન બિરુદ ન મૂકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36