Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 15
________________ ખેમો દેદરાણી ૧૩ પણ હમણાં જરા થોડા દિવસથી બીમાર રહું છું, ખાવાપીવાની ચરી ચાલે છે. વળી વૈદ્યરાજે ક્યાંય બહાર જવા-આવવાની ના પાડી છે, એટલે લાચાર છું. પદમશી– કેમ લાલજીકાકા, આપ તો તૈયાર છો ને? લાલજી–શું તને ખબર નથી કે તારી કાકીને આજકાલમાં બાળ-બચ્ચું થવાનું છે. કહે શી રીતે બહાર જઈ શકું? પદમશી– પણ કાકાબાળ – બચ્યું તો મારી કાકીને થવાનું છે, તમને તો................( વરમાં જ) ધરમશી– લે રહેવા દે હવે. [આવી રીતે એક પછી એક બહાર જવાને ના પાડે છે અને ઊઠવાનું કરે છે. એટલે પછી ચાંપસીશેઠ કહે છે] ચાંપસી–અફસોસ. આમ કસોટીના સમયમાં પણ થોડા દિવસોને માટે કોઈ ઘર છોડવાને તૈયાર થતું નથી. રાજાનો હુકમ થાય કે ફલાણા કામ માટે તમારે બે મહિના માટે બહાર જવું પડશે, તો આપણે વાંકા રહીને ભટકીએ, પછી ઘર-બહારનું કે બૈરાં-છોકરાંનું ગમે તે થાય. બીમાર પડીએ તો છ-બાર મહિના ખાટલામાં આળોટ્યા કરીએ, પછી વ્યાપાર-રોજગારનું ગમે તે થાય ! શું એ શરમની વાત નથી કે – સ્વમાનની રક્ષાને માટે – દેશબંધુઓની સેવાને માટે વધારેમાં વધારે એક મહિના જેટલો સમય પણ કોઈ બહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36