Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 12
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨૬ - - આપની બિરુદાવલીઓથી બાદશાહ સલામત બહુ નારાજ થયા છે. બાદશાહે ફરમાવ્યું છે કે “કાં તો મહાજન આખું વર્ષ અન્નદાન આપીને લોકોની રક્ષા કરી “શાહ'પદ સાચું કરી બતાવે, અને નહી તો પોતાનું બિરુદ છોડી દે.” ચાંપસી મહેતા–(જોશીલા અવાજથી-સોને ઉત્તેજિત કિરતા) ભાઈઓ, આજે સ્વમાનની રક્ષાનો પ્રશ્ન આપણી સામે આવીને ખડો થયો છે. આપણાં વખાણ સાંભળીને બાદશાહ કોપિત થયેલા છે એ તમે સૌ જાણો જ છો. આવી સ્થિતિમાં આપણે તેમની મરજી પ્રમાણે કાર્ય નહિ કરીએ તો, એ નક્કી છે કે બાદશાહ આપણું “શાહ બિરુદ ખેંચી લેશે. આપણા પૂર્વજોએ જે મોટાં કાર્યો કર્યા છે, તે ઇતિહાસના પાનાંઓ પર સુવર્ણાક્ષરે લખાયેલાં છે. શું આપ સૌ ભાઈઓને માલૂમ નથી કે કેવળ એક કબૂતરને બચાવવા માટે ભગવાન શાંતિનાથના જીવે પોતાનું માંસ આપવાનું મંજૂર કર્યું હતું ? શ્રેણિક મહારાજના સમયમાં ધર્મની નિંદા ન થવા દેવાના કારણે સાધુએ પોતાનો વેશ પણ બાળી દેવાનું સાહસ કર્યું હતું, એ શું તમે ભૂલી ગયા છો ? તે સિવાય જગડુશા, વસ્તુપાલ તેજપાલ, કુમારપાળ વગેરે તથા કાલકાચાર્ય અને હેમચંદ્રાચાર્યનાં પ્રભાવક ચરિત્રો શું તમારાથી અજાણ્યાં છે? તે પૂર્વજોએ ધર્મની રક્ષા અને દેશબંધુઓને આફતથી બચાવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36