________________
વિનયથી અંજલી જોડીને કહ્યું—“ સ્વામિનાથ ! આપ
ખેદ ન કરે, મને તેટલા બધા વિશેષણનું ગૌરવ આપવાની જરૂર નથી, મને દાસીને તેવા શબ્દો કહીને શરમાવે નહિં, મને આપે કંઇ પણ સતાવી નથી, પણ મારા કર્મોએ મને સતાવી. તેમાં આપને લેશ પણ અપરાધ નથી અને તેથી ક્ષમા માગવાની પણ જરૂર નથી. સદભાગ્યે તમે પાછા પધાર્યા, એટલે હવે બધું સારૂં થશે. અત્યારે આપણુ ઘરની તેવી હલકી દશા થઈ ગઈ, છતાં આપણા અંતરની પવિત્રતા અને શુભ ભાવના આપણને ઉચ્ચ દશાએ લાવશે.” એમ કહી જયશ્રીએ પતિને ધીરજ આપીને શાંત કર્યો.
પ્રિય પાઠક! દેવદત્તા વેશ્યા તે કયવના ઉપર બહુ પ્યાર રાખતી હતી, છતાં કયવન્નાને ત્યાંથી ભાગી છુટવાનું શું કારણ હશે, તે પણ સમજવાની જરૂર છે.
કયવનાને ઘરથી ધન આવતું બંધ થયું. કારણ કે હવે જયશ્રી તેને કંઈ કલાવે, તેવું તેની પાસે કંઈ રહ્યું ન હતું. ત્યારે દેવદત્તાની અકા–વૃદ્ધાએ દેવદત્તાને સમજાવતાં કહ્યું કે –“હે વત્સ ! હવે આ કયવનાને તું ઘરમાંથી બહાર કડાડી મૂક. એનું ધન આવતું બંધ થયું છે. આપણે વેશ્યાવ્યવહાર તે માત્ર ધન ઉપરજ ટકી રહે છે. ધન થતી લેવાની ખાતરજ આપણને ઉપર ઉપરથી બનાવટી પ્રેમ બતાવવું પડે છે. જેમાં પાંદડાં વિનાના વૃક્ષને પક્ષીઓ તજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com