Book Title: Kayvanna Shethnu Charitra Yane Mayano Adbhut Chamatkar
Author(s): Sasti Vachanmala
Publisher: Sasti Vachanmala

View full book text
Previous | Next

Page 36
________________ ૨૫ જેમ જળ વિનાના સરોવરને મુસાફરો તજીદે, અને જેમ કૃપણને યાચકે તજીદે, તેમ આપણે નિધનને તજી દઈએ. છીએ. આપણે ધન પૂરતજ સંબંધ હોય છે. ધન વિનાના પુરૂષની સાથે પૂર્વની પ્રીત સંભારીને આપણે મેહમાં ન તણાવું જોઈએ. બેટા! તું શાણું અને સમજુ છે, માટે તેને વધારે શું કહું ?” એ પ્રમાણે વૃદ્ધાના વચન દેવદત્તાને રૂસ્યા નહિ. કારણ કે તેણે કયવાની સાથે જીવન પર્યાનો પ્રેમ જ હતે. તેને હવે ધનની પરવા ન હતી, પણ પ્રેમની પરવા હતી. એટલે તે જરા ગરમ થઈને બોલી-અક્કા ! તેમ મારાથી બની શકશે નહિ. મનુષ્યનું હૃદય એકજ હોવું જોઈએ. જે ક્ષણે ક્ષણે વિવિધ સાયેગ પામતાં ચકની જેમ ર્યા કરે, તે માનવયોગ્ય હદય નહિ, પણ પશુનું. હું કયવનને મારૂં હૃદય આપી ચુકી છું, માટે હવે તે ફેરવી શકાશે નહિ. તેવી અધમતા અને અંધતા મને જોઈતી નથી. પ્રભુ આપનું કલ્યાણ કરે. મને હવે તેટલાથીજ બસ છે.” એ રીતે કયવન્નાને કહાડી મૂક્વાને તે બંને વચ્ચે વા. રંવાર તકરાર થતી, પણ દેવદત્તાએ કઈ રીતે માન્યું જ નહિ, ત્યારે તે બીજી કોઈ રીતે તેને હાંકી કહાડવાને રસ્તે શેધવા લાગી, એમ કરતાં એક દિવસે તે અક્કાએ કયવન્નાને કઠિન શબ્દોમાં કહ્યું “ આ નિર્લજજને કંઈ શરમ છે? બિચારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62