________________
બાબી વંશ-પૂર્વાર્ધ
બાબી વંશ
જૂનાગઢની નવાબીને સ્થાપક શેરખાન બાબીવંશને હતા. બાબીઓ મૂળ અફઘાનિસ્તાનના વતની હતા અને તેમના પૂર્વજો દેશ પ્રાંતના પુસ્ત નામના ગામડામાં વસતા. તેમાં કયસ નામને એક પુરુષ મદીના ગયેલ અને
ત્યાં તેણે હઝરત મહંમદ પયગંબર સાહેબના હસ્તે ઈસ્લામની દીક્ષા લીધી. ઈસ્લામ અંગીકાર કર્યા પછી તેણે તેનું નામ અબ્દુરશીદ રાખ્યું. તેને ત્રણ પુત્રો થયા જેમાં એક ઈસ્માઈલ ઉર્ફે ગોરગસ્ત હતા અને તેને એક પુત્ર બાબી હતા. તેના જે વંશજો થયા તે બાબી ઉપનામથી જાણીતા થયા.
બાબીના ચાર પુત્રો પૈકી એકનું નામ મીર હતું. તેને પુત્ર યાહ્યા, તેને તેને ઉસ્માન, અબ્દરહીમ, તેને મીરખાન, તેને કરીમખાન અને તેને પુત્ર આદિલખાન થયો. - ઈ. સ. ૧૫૫માં આલિખાન ઈરાનમાં આશ્રય લઈ રહેલા દિલ્હીના પદભ્રષ્ટ શાહ હુમાયુને મળે અને જ્યારે હુમાયુ હિન્દુસ્તાનમાં પાછો આવ્યો ત્યારે તેની સાથે આવ્યું. તેના પુત્ર ઉસ્માનખાનના પુત્ર બહાદરખાનને અકબરના સમયમાં શીહીની જાગીર મળી. રાજા ટોડરમલે ઈ. સ. ૧૫૭૮માં જ્યારે ગુજરાતની જમાબંદી કરી ત્યારે બહાદુરખાન તેની સાથે હતો. આ બહાદરખાને શાહજહાનના સમયમાં શાહી દરબારમાં ઊંચું સ્થાન મેળવ્યું.
બહાદરખાનને ચાર પુત્રો હતા. તેમાં મુબારિઝખાન કડીના અને મુઝફફર