Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 423
________________ ૪૨ જૂનાગઢ અને ગિરનાર *, ; * * . * * આ કુંડની લંબાઈ ર૭૫ ફીટ અને પહોળાઈ ૫૦ ફીટ છે તથા ફરતે ઘાટ છે. અહિં સ્મશાન છે. જે હમણાં થોડા સમય પૂર્વે નવું સ્મશાન થતાં બંધ થયું છે. સુચકલેશ્વર ' દાદર કુંડ પાસે મુકંદની ગુફા તથા મુચકુંદેશ્વર મહાદેવ છે. એમ કહેવાય છે કે આ લિંગની કઈ અજ્ઞાત વ્યક્તિ પ્રત્યેક દિવસે પ્રાત કાળમાં પૂજા કરી જાય છે. તેને હજી સુધી કોઈ જોઈ શક્યું નથી કે જાણી શકાયું નથી. બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માએ આ ગુફામાં નિવાસ કરે. રેવતી કુંડ અહિ રેવતી કુંડ નામને માને છતાં સુંદર કુંડ છે. વાગી કરી અહિંથી છેડે આગળ ચાલતાં જેને સામાન્ય રીતે વાઘેશ્વરી કહેવામાં આવે છે તે વાગીશ્વરી માતાનું મંદિર છે તેની પાસે છેડે ઊંચે માતાજીનું બીજુ મંદિર છે જ્યાં ચડવા માટે જૂનાગઢના શ્રી હેમતલાલ વેરી નામના ગૃહસ્થ પગથિયાં બંધાવી આપ્યાં છે. - વાગીશ્વરીથી જરા નીચે વામનેશ્વરનું મંદિર છે. લક્ષમણ ટેકરી ગિરનારથી શહેરમાં જવાના માર્ગ ઉપર એક ટેકરી ઉપર લક્ષ્મણજીની પાદુકા તથા ડેરી છે. આ ટેકરી લમણ ટેકરી કહેવાય છે. આ ઉપરાંત આ માર્ગમાં એટલે વસ્ત્રાપથ ક્ષેત્રમાં પ્રાચીન અર્વાચીન નાનાં મેટાં મંદિર અને આશ્રમે છે. ઈન્દોર ' ગિરનારની ઉત્તરે જોગણીના પહાડમાં ઈન્વેશ્વરનું રમણીય સ્થાન છે. ગિરનાર મહાગ્ય પ્રમાણે આ મંદિર વીરભદ્ર નામના પર્વતમાં આવેલું છે તે માટે પુરાણુકર માત્ર એટલું જ કહે છે કે વીરભદ્ર નામનો પર્વત છે તથા તેમાં ઈન્ડેશ્વર મહાદેવનું મંદિર છે. મહામ્ય વિશેષમાં કહે છે કે ઈન્દ્ર, પરસ્ત્રી ગમનનું પાપ કરેલું પણ એક પારધીની સલાહથી વીરભદ્રમાં અપૂજ પડેલા એક લિંગની પૂજા કરી પાપમાંથી મુક્તિ મેળવી તેથી તેનું નામ ઈન્ડેશ્વર થયું. એવી પણ કિવદંતિ છે કે નરસિંહ મહેતા જે મહાદેવને પ્રસન્ન કરી

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470