________________
૪૨૬ઃ જૂનાગઢ અને ગિરનાર
સુરજકુંડ, પાટનાથ થઈ રાત્રે માળવેલા જઈ પહોંચે છે. ત્યાંથી સવારે ઉપડી શ્રવણવડ, વાસંતીનાગ, હેમાજળીયા કુંડ થઈ રાત્રે બળદેવી માતાની જગ્યામાં રાત રહે છે તથા ત્રીજે દિવસે બોરદેવી થઈ ભવનાથ પહોંચે છે. પરકમ્માને ચાલ બહુ પુરાતન સમયમાં હતા પણ મધ્યકાળમાં તે અનેક કારણે વશાત બંધ પડેલ. પરંતુ ઈ. સ. ૧૮૬૪માં જૂનાગઢના દીવાન અનંતજી અમરચંદ વસાવડાએ તે પાછો પ્રચલિત કર્યો હેવાનું કહેવાય છે તેમણે જ્યેષ્ઠ માસમાં સંઘ કાઢી પરકમ્મા કરેલી પણ તે પછી પ્રતિવર્ષ કાર્તિક માસમાં પરકમ્મા કરવામાં આવે છે. મળે - પ્રતિવર્ષ શિવરાત્રીના પવિત્ર દિવસે ભવનાથના મંદિર પાસે ભવ્ય મેળે ભરાય છે તેમાં સૌરાષ્ટ્રના અને પરપ્રાન્તના અનેક યાંત્રિકે અને જુદા જુદા સંપ્રદાયના સંત સાધુઓ આવે છે.'
એક એવી પ્રબળ માન્યતા છે કે આ મેળામાં સર્વે સિધ્ધ અને સંતોને જયાં હોય ત્યાંથી એક વાર આવવું આવશ્યક છે. ગેબમાં રહેતા અને અપ્રગટ વસતા અરીઓ પણ આ મેળામાં ભવનાથનાં દર્શને અને મૃગીકુંડમાં શિવરાત્રીનું સ્નાન કરવા આવે છે. પર્વતની કથાઓ
ગિરનારના પર્વતેમાં અનેક સંતે, સિધ્ધો, યોગીઓ અને મહાત્માઓ વસી ગયા છે અને તે વિશ્વાસપૂર્વક માને છે કે તેવી વિભૂતિઓ હજી પણ ત્યાં વસે છે. જેને મહમ્ય અને એ ગ્રંથમાં પણ ત્યાં યક્ષે વસે છે તેમ કહેવામાં આવ્યું છેમુસ્લિમ પણ માને છે કે પહાડની અડખે પડખે સારા અને કૅધી એવા બે પ્રકારના છનાતા રહે છે.'
આ સંતો અને સિંધેની, યક્ષેની અને નાતિની અનેક વાર્તાઓ અને ચમત્કારની વાતે લોક છાએ સજીવન રહી છે. નાથ સંપ્રદાયના સાધુઓ માને છે કે ગુરુદત્તાત્રેય તેમના આદિ ગુરુ છે અને તેથી પ્રત્યેક સાધુને ત્યાં દશને જવું જરૂરી છે. એટલું નહિ પણ ત્યાં અનેક સિહજી પણ નિઃશરીર વસે છે અને કવચિત કે ઈ ભાગ્યશાળી પુરુષો તેમના દર્શન પણ કરે છે. અઘેરી
ગિરનાર કેલ્પ તરુ નામને એક પ્રાચીન ગ્રંથ હેવાનું કહેવાય છે. પણ મને જે મળ્યો છે તે માત્ર ૧૫૦ લીટીઓમાં છે. તેમાં ગિરનારનાં તીર્થસ્થાનનાં મહાભ્ય તથા યાત્રા કમ છે. લેખક. .