Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 441
________________ ૪૪૦ : જૂનાગઢ અને વિરનાર તારીખે સેરઠમાં આ બાર સરદાર ઝફરખાન રાહને દગો ન કરે તે માટે જમીન થયેલા અને સુબાએ દગો કરતાં વચન પાલન માટે ભરાઈ ગયા તેમ જણાવે છે. આ જગ્યામાં નવાબ મહાબતખાન બીજાના માતા નાજબીબીને સુંદર મકબર પણ છે. નરસિંહ મહેતાને ચોરે જૂનાગઢના ઉત્તર ભાગમાં, મજેવડી દરવાજા પાસે આદિ કવિ અને ભક્ત શિરોમણી નરસિંહ મહેતાને ચોરે છે. નરસિંહ મહેતા ઈ. સ. ૧૪૭૦માં હયાત હતા અને તેઓ આ સ્થાને વસતા અને તેમનાં ભજન કીર્તન કરતા. મહેતાજીના મૃત્યુ પછી આ સ્થાન કાલે કરીને ઉજજડ પડયું, પરંતુ નરસિંહ મહેતાના કાકા પરબત મહેતાનાં વંશજ અને મુગલ-મરાઠા સમયના દીવાન અને સેનાની ભવાનીદાસ મજમુદારના પુત્ર ત્રિકમદાસને વિ. સં. ૧૮૩૫-ઈ. સ. ૧૯૭૯માં સ્વપ્નમાં ભાસ થતાં તેણે નરસિંહ મહેતાના નિવાસ સ્થાનની મળેલા સંકેત પ્રમાણે શોધ કરી અને સુખનાથ મહાદેવ તથા હિમજા માતાના સ્થાન પાસેથી તેમને રાસ ચોર નામે ઓળખાતી જગ્યા મળી આવી. આ ચરાની વચમાં એક ગોળાકાર ઓટો છે જ્યાં નરસિંહ મહેતા ભજન કીર્તન કરતા. આજે આ ઓટાને સુરક્ષિત કરવામાં આવ્યો છે અને ચારાની જગ્યામાં નરસિંહ મહેતાની મૂતિ, ગેપનાથની દહેરી તથા દામોદરરાયજીનું સ્વરૂપ છે. કિવદંતિ છે કે જ્યારે કોઈની મુંઝવણ વધે અને કેાઈ માર્ગ ન સૂઝે ત્યારે આ ઓટા ઉપર બેસી વિચારે તે માર્ગદર્શન મળે છે. કવિ દલપતરામે ઈ. સ. ૧૮૭૫માં આ એ જોઈ લખ્યું છે કે, છત્ર નથી, શિર છાપરું છે નહિ, છે છતમાં પણ છેક જ છોટે તે પણ છે ત્રણ લોક પ્રસિદ્ધ, સુમેરૂ થકી મહિમા અતિ મેરે તત્વ અનેકનું તત્વ જહીંથી પ્રગટે મહત્ત્વ તણે પરપેટે આ મહેતા નરસિંહ તણે અધ નાશક પુણ્ય પ્રકાશક ટે. આ જગ્યા નાગર જ્ઞાતિ હસ્તક છે અને તેને વહીવટ ચેરા કમિટી કરે છે. પ્રસિદ્ધ કીર્તનાચાર્યની પ્રેરણા તથા પરિશ્રમથી ગિરનાર દરવાજે તારીખ ર૬-૧-૧૯૮૬ના રોજ નરસિંહ મહેતાની પ્રતિમાનું અનાવરણ થયું. રણછોડજીનું મંદિર જૂનાગઢના નાગરવાડામાં રણછોડજીનું પ્રસિદ્ધ મંદિર છે. તેના મહાસ્ય અનુસાર, નરસિંહ મહેતાના કાકા પરબત મહેતા પ્રતિ વર્ષ હાથમાં તુલસી

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470