Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 421
________________ કર૦ઃ જૂનાગઢ અને ગિરનાર કરતાં ત્યાંથી ૪૭૫ ફિટ લાંબો અને ૧૫૦ ફીટ પહેળે બુદ્ધ વિહારને પાયે મળ્યો છે. ત્યાંથી મળી આવેલી ઈટ ઉપરથી જણાય છે કે આ વિહાર ૧૮ ઈંચ લાંબી, ૧૨ ઈંચ પહોળી અને ૩ ઈંચ જાડી ઈ ટોથી બાંધવામાં આવ્યું હશે, આ ઉપરાંત ત્યાંથી પ્રાર્થના ખંડની ફરશ અને ૧૦ ફીટ લાંબા અને ૧૦ ફીટ પહેલા એવા ૬ અને ૨૬ ફીટ લાંબો અને ૧૦ ફીટ પહેબે એ ૧ ખંડ પણ મળી આવ્યો છે. પશ્ચિમ તરફ એક લાંબી પરસાળ પણ દેખાય છે. આ ખંડ ફરતી ૫ ફિટ ૧૦ ઈંચ પહેલી ઓસરી પણ હશે તેમ જણાય છે. પૂર્વમાં ૩૬૦ ફીટ અને દક્ષિણે ૭૦ ફીટ દૂર, ૪૦ ફીટ લાંબી અને ૪૦ ફીટ પહેળી એવી ઈમારતનાં અવશેષો જોવામાં આવે છે. ઈટવાના ઉખનનમાંથી ક્ષત્રપ રાજાની મુદ્રા, તેલ માપ, ચટણી વાટવાને પથ્થર અને માટીનાં વાસણ પણ નીકળ્યાં છે.' જટાશંકર ગિરનારના ગેબી રસ્તા ઉપરથી હનુમાનધારા પાસેથી ઉતરતા માર્ગમાં જટાશંકર મહાદેવનું સ્થાન આવે છે. જટાશંકરનું લિંગ એક ગુફામાં છે. તેના ઉપરથી સતત જલ પ્રવાહ વહે છે. અહિં એક ધર્મશાળા પણ છે. * ચામુદ્રી ગિરનારની તળેટીમાં આ સુંદર સ્થાન આવેલું છે. અહિં તુલસી અને રામતુલસીનાં વન છે.. માળવેલો ગિરનારની ગોદમાં આવેલા આ મનોરમ્ય સ્થાનમાં, મહાદેવનું મંદિર તથા રહેવા માટેના ઓરડાઓ છે. ઝિણ બાવાની મઢી * ઝિણ બાવા નામના પવિત્ર યોગીએ બાંધેલી આ જગ્યા પણ રમણીય અને સુંદર છે. ગિરનારની પરકમ્માના પ્રવાસીઓ અહિં રાત્રી વ્યતિત કરે છે. ઝિણુ બાવાના અનેક ચમત્કારની વાત માં પ્રચલિત છે. લાલહેરી ગિરનારની તળેટીમાં દુધેશ્વર મહાદેવનું સ્થાન છે. ત્યાં જૂનાગઢ રાજ્યના [1 એજન,

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470