________________
ખાખી વંશ-ઉત્તરાધ ઃ ૨૬૭
નીમવામાં આવ્યું. તેમાં મિરઝા અબ્બાસ ખલી બૅગ અને શ્રી રણછેડલાલ કપુરચંદ દેસાઈ સભ્યો નીમાયા. આ કમિશને તેના રિપોર્ટ ઇ. સ. ૧૮૯૩ના મે માસની ૨ જી તારીખે રાજ્ય સરકારને સુપ્રત કર્યાં.
રાજ્ય સરકારે, આ રિપોટ થાડ! ઘણા ફેરફારા સાથે સ્વીકારી કેટલાક હુકમ કર્યા છતાં ઈ. સ. ૧૮૯૪ના જુલાઈ માસની ૨૫મી તારીખે પ્રભાસપાટણમાં તાજીયા દફન કરવાના પ્રસ ંગે હુલ્લડે કરી કેટલાક મુસ્લિમે એ, સાધુઓ, બ્રાહ્મણા અને સરકારી નાકરાની હત્યા કરી અને મદિરાને આગ આંપી.
જ્યારે હુલ્લડ પરાકાષ્ટાએ પહેાંચેલુ ત્યારે પ્રભાસપાટણના જ વતની પોલીસ અમલદાર હરપ્રસાદ ઉદયશંકર દેસાઈ સુત્રાપાડાથી આવી પહેાંચ્યા અને હુલ્લડખેારેશને અંકુશમાં લઈ તેના આગેવાનાને પરહેજ કર્યાં.
આ ભયંકર હત્યાકાંડના સમાચારથી સમગ્ર ભારતમાં રાષની લાગણી વ્યાપી થઈ મુંબઈની જનતાએ તે માટે મોટું આંદલન કરી મુ ંબઈ સરકાર પાસે કડક પગલાં ભરવાની અને ન્યાય આપવાની માગણી કરી.
હુલ્લડખારા ઉપર કેસ ચલાવવામાં આવ્યા ત્યારે તહોમતદારાના બચાવ માટે રાજ્ય સરકારે બેરિસ્ટર બ્રેનસનને રોકયા અને પ્રેાસીકયુશન માટે બેરિસ્ટર જે. જારડાઈન, શ્રી માણેકશાહ જહાંગીર તલ્યારખાન અને ગોકુલદાસ કહાનદાસ પારેખને શકયા.
આ સમયે સુપ્રસિદ્ધ દેશભક્ત સર ફીઝશાહ મહેતા જૂનાગઢ રાજ્યમાં હઝુર કાઉન્સીલર હતા. તેમના પ્રમુખપણા નીચે હુલ્લડ કેંસમાં અપીલ સાંભળવા ખાસ ટ્રિબ્યુનલ નીમવામાં આવી તેમાં શ્રી આર. એસ. ટિપનીસ તથા સૈયદ નુરદીન સભ્યા હતા.
આ ટ્રિબ્યુનલે સર્વાનુમતે હર તહેામતદારોમાંથી ૧૮ સખ્સોને જુદા જુદા સમયની સજા કરી.
1. આ હત્યાકાંડમાં સામપુરા બ્રાહ્મણ ત્રવાડી વલ્લભજી રતનજી, જાની જેશંકર રણછેડ, સાધુએ સુમિત્રાદાસ, ખલિરામ, કૃષ્ણદાસ, ડૉ. મનેાહરદાસ, તેના કમપાઉન્ડર, પટાવાળેલ માલી દયાળ, વેકસીનેટર તથા તેના પટાવાળા મરાઈ ગયા.
2 આ પ્રસ`ગ અને તે પછીની વિગતે માટે જીએ પ્રભાસ અને સામનાથ રશ', હ, દેશાઈ,