________________
ગિરનાર : ૩૮૯
લેખન પદ્ધતિ પ્રમાણે ચમત્કારની વાત લખી પણ ઉજ્જયંત ઉપર ગિનિષરની દિશામાંથી જવા માટે પહાડ તાડીને મગ કરવામાં આવ્યા હશે અને તેથી બન્ને પતા જુદા પડયા હશે.
ઈ. સ. ૬૪૦માં સૌરાષ્ટ્રમાં આવેલા ચીની પ્રવાસી હ્યુ-એન સાંગે નાંધ્યું છે કે નગરથી ઘેાડે દૂર યુ-શેત-તા નામના પર્યંત છે. તેના શિખર ઉપર એક મડ છે, તેના કક્ષા અને પ્રદક્ષિણા માત્ર પર્વતમાં કારી કાઢેલા છે. આ પત ઉપર ઘાટુ વન છે અને ચારે તરફ ઝરણાંઓ વહે છે'' હ્યુ-એન સાંગ ગિરનારને ઉજયંત કહે છે. તેના ઉપર ખડકમાં કાતરેલું કાઈ સ્થાન અત્યારે જોવામાં આવતું નથી,
તેનાથી પૂર્વે ઈ. સ. ૧૫૦ ના રાક ક્ષત્રપ રૂદ્રદામાના સમયમાં કોતરવામાં આવેવા પવ'તીય લેખમાં પણ જે પ`તમાંથી સુવર્ણ સિકતા વગેરે સરિતાએ નીકળતી તેને ઉત્ કહ્યો છે.
ગિરનાર
શિલાલેખા અને ધર્મ પ્રથામાં ગિરનારના ઉલ્લેખ ઉજયંત તરીકે કરવામાં આવ્યો છે અને તેથી ગિરનાર નામ અર્વાચીન છે તેવી કેટલાક વિદ્યાનાની માન્યતા છે. એક વિદ્વાન લેખક તા એમ પણ જણાવે છે કે ગિરિનગર ઉપરથી ગિરનાર શબ્દની યોજના થઇ.૩
સ્કંદપુરાણના પ્રભાસખંડમાં આપેલા ગિરનાર મહાત્મ્યમાં ગિરિનાર મહેદય' શબ્દો આ પવિત્ર પત માટે વાપર્યા છે. પ્રભાસખંડ ઈસુની આડમી સદીમાં કે તે પૂર્વે લખાયા ત્યારે ગિરદ્વાર નામ સ્વીકૃત થઈ ગયું હતું. તેમ જણાય છે. તેના ઉલ્લેખ ગિરિનારાયણ તરીકે પણ કરવામાં આવ્યા છે.
ઈ. સ. ૧૧૭૬ ના શ્રી વિજયસેનસૂરીએ રચેલા રૈવતગિરિ રાજુમાં તે લખે છે કે,
જિમ જિમ ચાઈ તર્ક કણિ ગિરનારહ,
તિમ તિમ ઉડાઈ જણુ ભવ! સંસાર. (કડવું ખીજુ)
1 ટ્રાવેલ્સ ઓફ હ્યુ-એન સાંગ,
2 હીસ્ટોરિકલ ઇન્સક્રીપ્શન્સ ઓફ ગુજરાત, વેા. ૨. શ્રી, ગિ. વ. આચાય
૩ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૫મા જુનાગઢ અધિવેરાન ( ઇ. સ. ૧૯૬૯)ની પ્રાચીન ઇતિહાસ – ડા. હરિપ્રસાદ શાસ્ત્રીને લેખક
સ્મારિકામાં જુનાગઢ
-