________________
૧૩૮ : જૂનાગઢ અને ગિરનાર
દીવાનજી ઝાલાવાડમાં જોરતલબી ઉઘરાવતા હતા તે તકનો લાભ લઈ નવાબનાં મા સુભાનકુંવરે વંથળીના નાગરીઓને ફોડી, બાંટવાના બાબી મુખ્તારખાન તથા એદલખાનની મદદથી વંથળીને કિલો કજે કરી, અમદાવાદના સૂબા આબુરાવ મહીપતરાવને મદદમાં બોલાવ્યો દીવાન અમરજીને પણ સમાચાર આપવામાં આવતાં આબુરાવ આવે તે પહેલાં તે પહોંચી ગયા. તેણે અપકાળમાં જ વંથળી જીતી લીધું અને મુખ્તારખાન બાબીએ માફી માગતાં તેને જવા દીધા તથા બીજાઓને યોગ્ય શિક્ષા કરી. પેશ્વા ગાયકવાડ
ઈ. સ. ૧૭૭૬માં પેશ્વાના સૂબેદાર અમૃતરાવ તથા ગાયકવાડના સૂબેદાર ભણે પેશકશી વસૂલ લેવા સૌરાષ્ટ્રમાં સવારી કરી. જૂનાગઢ ઉપર તેમણે જેતપુર મુકામેથી તકાદે કર્યો તેથી દીવાન અમરજીએ જેતપુરના પાદરમાં પડાવ નાખી પડેલાં આ સંયુક્ત સૈન્ય સામે યુદ્ધ કર્યું. પેશ્વા ગાયકવાડના સેનાપતિએ એ દીવાનજીનું યુદ્ધકૌશલ્ય અને વીરત્વ જોઈ ગેડલ ઠાકોર કુંભાજી તથા જેતપુર દરબાર કાથડવાળાને મોકલી સુલેહ કરી, દીવાનજીને પિશાક આપી બહુમાન
કયું.
પિશીત્રા
તે પછી જામનગરના દીવાન મેરૂ ખવાસની વિનંતી ઉપરથી, તેનાં ગામડાંઓ, પોશીત્રાના ગઢમાં રહી ધમરોળતા વાઘેરે ઉપર દીવાન અમરજીએ ચડાઈ કરી અને પોશીત્રા લીધું. તે લડાઈમાં બરડાને લૂંટારે કાલુ મેર ભરાઈ ગયો. કલિ મેર
જૂનાગઢ, પોરબંદર, જામનગર અને ગોંડલનાં ગામડાંઓમાં લૂંટફાટ કરતા કાલુ મેર નામને એક માથાભારે માણસ હતો. પોરબંદરના રાણું સરતાનજી તેના કારભારી ભના મહેતા સાથે એકવાર ઈ. સ. ૧૭૭૬માં જૂનાગઢ આવેલા અને ભતા મહેતાના સસરા પૂંજાભાઈ વસાવડા દ્વારા દીવાનજીને આ મેરને પાર કરવા વિનંતી કરેલી તેથી દીવાનજીએ તેની પાછળ રીન્યને મોકલેલું. કાલ મેર નાસી ગયો અને તેને ઉપદ્રવ શાંત થઈ
1 આ રાજમાતાનું નામ એક સ્થળે સુજાનકુંવર પણ આપ્યું છે. 2 તારીખે સેરઠ-દીવાન રણછોડજી, ભાષાંતર: શં. હ. દેશાઈ 3. કહાનદાસ તાપીદાસ બક્ષીનું આત્મ ચરિત્ર.