________________
૧૩૨ ઃ જૂનાગઢ અને ગિરનાર
જૂનાગઢના પાદરે એક બળવાન સૈન્ય સાથે મુકામ કર્યો. તેને આંતરિક ઈરાદે તો જે લાગ મળે તે મુઝફફરખાન તથા મહાબતખાન બંનેને કાઢી પિતાના પુત્ર ગાઝ-ઉલ-દીનને જૂનાગઢની ગાદીએ બેસાડવાને હતિ.
જવાંમર્દખાને રાત્રીના જૂનાગઢના કિલ્લા ઉપર હલે કર્યો પણ દુર્ગરક્ષક સૈન્ય તેને સખ્ત પ્રતિકાર કર્યો અને પ્રાતઃકાળે પરાજ્ય સ્વીકારી તેણે પીછેહઠ કરી રાધનપુરને માર્ગ લઈ લીધે. નવાબની મુકિત
ગોંડલના ઠાકોર કુંભાજીએ તે પછી વચમાં પડી તેની મુક્તિ મેળવી આપવા નવાબે સંદેશો મોકલી વિનંતી કરતાં તેણે શિવદાસ પંડયા નામના રાજપુરુષ દ્વારા જમાદાર સુલેમાનને ફેડી નવાબની મુકિત મેળવી. મહાબતખાને મુઝફફરખાન તથા ફોહયાબખાનને, જુનાગઢ ઉપર દા ન કરવાની રીત રાણપુર ચોવીસી અને ધંધુસર વગેરે ગામો આપ્યાં. કુંભાજીને તેણે કરેલી મદદના બદલામાં વાર્ષિક કરી પાંચ હજાર પેશકશ ભરવાની શર્ત ઉપલેટા પરગણું આપ્યું.' રાજતંત્ર
નવાબને મુકિત મળતાં જ દયાળશેડને દીવાનગીરીમાંથી મુક્ત કર્યો તે પછી આ ક્રોધી અને તરંગી પ્રકૃતિના રાજકર્તાએ તેને સૈન્યના પગાર ચૂકવવા માટે, રાજાને ન શોભે તેવી રીતે ગામડાઓ લૂંટવા માંડયા અને તેમાં છતાં પણ પગાર ચૂકવી શકાય નહિ ત્યારે તેણે મેવાલાલ જગજીવન મુનશી નામના એક મુત્સદ્દીને દીવાનની જગ્યા આપી. આ દીવાને રાજતંત્રને સદ્ધર કરવા પ્રયત્નો કર્યા પણ તેના પ્રયાસોનું કાંઈ પણ પરિણામ આવે તે પહેલાં નવાબે તેને પણ રજા આપી દીધી અને ઘોઘાથી સેરાબખાનની બીકથી નાસી આવેલા પિતાના કાકા શેરઝમાનખાનને બાટવાની જાગીર આપેલી ત્યાંથી બેલાવી, દીવાનગીરી આપી. વેરાવળના કબજે - સુલતાનાએ, થયેલા સમાધાનને ભંગ કરી, વેરાવળને કબજે કરી લીધે. નવાબની અણઆવડત અને અશકિતથી પૂરા પરિચિત થયેલા શેઝમાન ખાને પણ જૂનાગઢ હડપ કરી જવાની ઊંડી ઈછાએ તંત્રને કથળવા દીધું અને સુલતાન સામે કોઈ પગલાં લીધાં નહિ. આ સમયે માંગરોળના કાઝી શેખમીયએ નવાબની મુશ્કેલીને લાભ લેવાનું વિચારી, પ્રભાસપાટણના દેશાઈ 1 જુઓ સૌરાષ્ટ્રના ઈતિહાસની વાર્તાઓ, ભા. ૩.