Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ મંદિર-ઉપાશ્રયમાં નહિ, દુકાનમાં જિવા જોઈએ સત્ય એ ધર્મનું ઉત્પાદક બળ છે, આત્મા સત્યના પ્રકાશમાં પ્રતિષ્ઠિત થાય તે દિવસથી મેક્ષની યાત્રા શરૂ થાય, અને જીવનમાં કંઠ, સંઘર્ષ, કલેશ રહે નહિ; આત્મા માટે સત્ય પરમ ઔષધ, પરમ સાધન મનાયું છે. સત્યના પ્રકાશમાં જ સ્વયંની – પરમાત્માની પ્રાપ્તિ થતી હોય છે. આવી પ્રાપ્તિ જેને થાય તે બીજાને પણ માર્ગ બતાવી શકે છે. સત્યની પ્રાપ્તિમાં અહં મુખ્ય વિદન છે કારણ કે અહં અસત્યનું પોષણ કરે છે. મારે પ્રયાસ આ અહને તેડવાને છે, તો જ સ્વયં શુદ્ધ બને. શુદ્ધિ પહેલી જરૂરી છે – સિદ્ધિ મેળવવા માટે. જીવનને અહં ભારે ભયંકર છે. અર્જુનને કૃષ્ણ સત્ય વડે ધર્મ પેદા થાય છે એવું કહ્યા પછી તેવા સત્યને માર્ગ બતાવવા કહે છે કે, “દયા દાનેન વધતે.” હૃદયની કરુણાથી એ ધર્મ મળે અને તેની પુષ્ટિ થાય. નિષ્ક્રિય ધર્મ સક્રિય બને અને જીવનને પ્રકાશિત કરે. ધર્મ મંદિર, ઉપાશ્રયમાં નહિ દુકાનમાં, કુટુંબમાં જિવા જોઈએ. સમગ્ર આચરણ એનાથી ભરાઈ જાય તે દુકાન અને મકાન મંદિર બની રહે, જીવન પૂર્ણ બને. દયા અને દાન તેના માર્ગ કહ્યા. - દયા – કરુણ કેવી રીતે બતાવાય? અહં દયા – કરુણાને પ્રગટવા દેતો નથી. બીજા પ્રત્યે ઘણું જન્માવે છે. પ્રેમને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 84