________________
જૈનયુગ
આષાઢ-શ્રાવણ ૧૯૮૩
નહિ. તેમ છતાં, આ બધા વિચારામાં શાસ્ત્રીય દૃષ્ટિએ ઘણું મહત્વ રહેલું છે અને તેથી જૈન સિદ્ધાંતાનું વિશેષ અવગાહન થઇ શકે છે.
પ૩ર
એમ બે પ્રકારનુ છે. ધર્મ ધ્યાનથી પામર જીવેાને અગોચર એવાં ધાર્મિક સત્યાનું અંતર્દ્વાન સ્ફુરે છે. ખરેખર આગમા અને પછીનાં શ.સ્રામાં પ્રતિપાદન કરેલા વિશ્વવિદ્યા ખગાળ, ભૂંગાળ, અધ્યાત્મ વિગેરે વિષયાના જ્ઞાનમાં જે ચેાક્કસપણું માની લેવામાં આવે છે તે ધર્મ ધ્યાને જે સ્ફુરિત કરેલું છે એવી કલ્પના કરવા આવે છે તેવા આંતરજ્ઞાનને આભારી છે એમાં સશય રાખવાની જરૂર નથી. ધર્મ ધ્યાન કરતાં શુકલ ધ્યાન ઉચ્ચતર કાટિનું છે અને તે ચાર કક્ષા દ્વારા મેક્ષ તરફ લઇ જાય છે. પ્રથમ એક એક વસ્તુ ઉપર મન એકાગ્ર કરવામાં આવે છે. ત્યારબાદ એકજ વસ્તુ ઉપર ધ્યાન કરવામાં આવે છે. ત્યાર પછીની કક્ષામાં મન વચન અને કાયાની પ્રવૃત્તિએ બહુજ સૂક્ષ્મ રીતે ચાલ્યા કરે છે અને વધારેને વધારે સૂક્ષ્મ બનતી જાય છે. આ દશામાં તે વ્યક્તિની સાંસારિક અવસ્થા પૂર્ણ થવા આવે છે, તેથી બાકી રહેલાં કર્મીના સમુદ્ધાતથી એકી સાથે ભડકાની માફક નાશ થાય છે. પછી શુકલધ્યાનની છેલ્લી કક્ષામાં સધળાં કર્માંતા નાશ થયા હોવાથી તથા સઘળી પ્રવૃત્તિએ બંધ પડવાથી, જીવ દેહનેા ત્યાગ કરી, જ્યાં મુકતાત્માએ હંમેશને માટે રહે છે ત્યાં વિશ્વની ટાંચે જાય છે. અહીં એટલું સ્પષ્ટ કરવું જોઇએ કે માત્ર શુકલધ્યાન મેાક્ષનું સાધન નથી, પરંતુ તે તેા મેાક્ષની તૈયારી માટેની ક્રિયાઓની સાંકળના છેલ્લા અંકાડા છે. તેની પહેલી એ કક્ષાએ અનુભવવા માટે પણ કષાયેા ઉપશાંત અથવા નષ્ટ થવાની જરૂર છે; અને છેલ્લી એ કક્ષાએમાં તે ફકત ‘કૈવલિ’ (જેણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે તે) પ્રવેશ કરી શકે; કારણ કે તે બન્ને કક્ષાએ મેાક્ષની પૂર્વગામી છે. બીજી બાજુએ નિર્વાણુ પહેલાં બાર વર્ષ સુધી દેહ દમન કરવું જોઇએ અને તે સાધુજીવનમાં છેલ્લું કાર્ય ગણાય. કેવળ દેહદમનથીજ મેાક્ષ પ્રાપ્ત થતા નથી; કારણ કે ભગવાન મહાવીરના શિષ્ય સુધર્મના શિષ્ય જખુ કૈવલ્ય પ્રાપ્ત કરનાર અને મેક્ષ પામનાર છેલ્લા પુરૂષ હતા. (વીર નિર્વાણ પછી ૬૪ વર્ષે). આ અવસર્પિણી કાળમાં વે એકજ જન્મમાં નિર્વાણુ પ્રાપ્ત કરનાર કાઈ હશે
આ સંબંધમાં ‘ગુણુસ્થાન ક્રમારાડ'ને સિદ્દાત જેને જૈતા ઘણું મહત્વ આપે છે તેના પર દૃષ્ટિપાત કરીએ. એમાં ક્રમેક્રમે ૧૪ સ્થાન આપેલાં છે જેથી સદ્ગુણેના ધીમે ધીમે વિકાસ થાય છે અને કર્મોના ઘટાડા થાય છે અને જે છેવટે આત્માને અજ્ઞાન અને અશ્રદ્ધામાંથી આત્માની સપૂર્ણ પવિત્રતા તરફ લઇ જઇ મેાક્ષના કારણભૂત થાય છે.
નિગેાદના જીવેાથી માંડી તીર્થંકરાએ પ્રણીત કરેલાં સત્યામાં અશ્રદ્ધા રાખનાર મનુષ્ય પર્યંતના સઘળા જીવા મિથ્યાદષ્ટિ નામક પ્રથમ ગુણસ્થાનમાં આવે છે. તેએ રાગદ્વેષથી ખરડાયેલા હાઇ કમાંથી પુરી રીતે જકડાયેલા છે. પછીના ગુણસ્થાનકેામાં જેમ જેમ જીવ સમ્યક્દાન સમ્યક્ દર્શન સંયમ અને કષાયાની શાંતિ મેળવે છે, તેમ તેમ નાના પ્રકારનાં કર્મોના ક્ષય અથવા ઉપશમ થાય છે તેથી જીવ ક્રમે ક્રમે વધારે ને વધારે પવિત્ર બનતા જાય છે. ઉપશાંતકષાય વીતરાગ છાસ્થ નામક અગ્યારમા ગુણુસ્થાન પર્યંત બધા ગુણસ્થા નામાં જીવતે પ્રથમ ગુરુસ્થાન સુધી પણ પડવા સંભવ રહે છે, પરંતુ ક્ષીણુકષાય વીતરાગ છËસ્થ બારમા ગુણસ્થાનમાં જ્યારે જીવ પ્રવેશ કરે છે ત્યારે ચાર ધાતી કોંના નાશ થાય છે. પછીતેા પછીના એ ગુણસ્થાનેામાં આવ્યા વગર જીવતે છુટકા નથી. અહીં તેને કૈવલ્યજ્ઞાન થાય છે. તેરમા સયેાગી કેવિલ ગુરુસ્થાનમાં જીવ હજી સંસારમાં હાય છે, અને લાંબા વખત સુધી ત્યાં રહી શકે, મન, વચન અને કાયાના વ્યાપારે। જારી રાખી શકે; પરંતુ જ્યારે બધા વ્યાપારા અટકી જાય ત્યારે તે અયોગિકવલિ નામક છેલ્લા ગુરુસ્થાનમાં પ્રવેશ કરે છે અને તેમાં ખાકી રહેલાં કર્યાં ભસ્મીભૂત થાય છે.
નામક
હવે અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ઉપર જણાવેàા કર્મના સિદ્ધાંત જૈન ધર્મનેા મૌલિક અને મુખ્ય સિદ્ધાંત છે ? તે પ્રશ્નનું સમાધાન કરવું જોઇએ. તે સિદ્ધાંત એવે ગહન અને કૃત્રિમ લાગે છે કે