Book Title: Jain Tattva Prakasha 3rd Edition
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 9
________________ અરિ એટલે દુશ્મન અને હંત એટલે હણનારા. આત્માના દુશ્મનને હણનારા તે અરિહંત. જો કે તીર્થકર ન થનારા અને ઘાતકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામનારા જીવો સુધર્માસ્વામી, જંબૂસ્વામી વગેરે દુશ્મનોને હણનારા કહેવાય છે, છતાં તેઓ અરિહંત કહેવાતા નથી. આવું કેમ? આનાં બે કારણો છે : (૧) કેટલાક શબ્દો યોગરૂઢ હોય છે. તેનો અર્થ જેટલાને લાગુ પડતો હોય તે બધાને નહીં, પણ અમુકને જ લાગુ પડે છે. જેમ કે પંકજ શબ્દનો અર્થ “કાદવમાં ઉત્પન્ન થયેલું” તેવો થાય છે. પરંતુ હકીકતમાં, કાદવમાં ઉત્પન્ન થનારી તમામ વસ્તુઓને “પંકજ' કહેવાતી નથી. માત્ર કમળને જ પંકજ કહેવાય છે. આ રીતે સર્વે વીતરાગ-સર્વજ્ઞ થનારાને અરિહંત કહેવાતા નથી. ફક્ત તીર્થકરોને જ અરિહંત કહેવાય છે. | (૨) “અરિહંત' શબ્દ પ્રાકૃત છે. તેનો મૂળ શબ્દ સંસ્કૃત ભાષામાં (અહ) છે. અહિં એટલે યોગ્ય, જે ચોત્રીશ અતિશયોને યોગ્ય હોય તેઓ જ અરિહંત કહેવાય. તીર્થકર ભગવન્તોને જ ૩૪ અતિશયો હોય છે, આથી તીર્થકર ભગવન્તોને જ અરિહંત કહેવાય છે. ૩૪ અતિશયો પ્રશ્ન : અરિહંત ભગવન્તોના ૩૪ અતિશયો કયા કયા હોય છે? ઉત્તર : ૪ જન્મથી, ૧૯ દેવોએ કરેલા અને ૧૧ કર્મક્ષયથી એમ કુલ ૩૪ અતિશયો અરિહંત ભગવન્તોને હોય છે. પ્રશ્ન : જન્મથી જે ચાર અતિશયો હોય છે તે ક્યા કયા હોય છે? ઉત્તર : (૧) પરમાત્માના શરીરનો શ્વાસોશ્વાસ અત્યન્ત સુગંધિત હોય છે. (૨) પરમાત્માનું શરીર અદ્ભુત, રૂપવાન, સુગંધવાળું, નિરોગી ૧ યોગરૂઢ = જે શબ્દનો જેટલો અર્થ થતો હોય ત્યાં બધે ન વપરાય છે. ર પંકજ = કમળ-પુષ્પ હોઈ શકે એવી વિશેષતા. ૩ અતિશય = સામાન્ય માનવીમાં ન હોય તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 252