________________
૧૮૦ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
વિસામા વનિતાને વલ્લભ કેરા જે, અણુ પરણી કન્યાને કંત ઘણેરા જે; એક પખે જે રાગ તે ધરવો નવિ ઘટે જે – ૭ નવિ ઘટે સતીએ જે નામ ધરાવે છે, બીજે વર વરવા ઈચ્છા નવિ ભાવે છે; ન ફરે પંચની સાખે જે તિલકે ધર્યો – ૮ તિલક ધરે તે તે સામાન્ય ઠરાય છે, મંગળ વરતે કર મેળાપક થાય છે; માય પછી વળાવે કન્યા સાસરે જે.– ૯ સાસરીયે કુમારી જમવા જાય છે, વસ્તુ સામાન્ય વિશેષે લઈ સમજાય છે; કર મેળાવા પહેલાં મન મેળ કરે જે-૧૦ મેળા કરવા અમે તુમ ઘેર આવંતાં જે, ભૂષણ ચીવર એવા ફળ લાવંતાં જો; તુમ લેતાં અમને થઈ આશા મટકી જે.-૧૧, હેટી આશા શી થઈ તુમ દીલમાંહી જે, દેવર જાણે હું લેતી ઉછાંહી જે; સસરાનું ઘર લહી ન ધરી શંકા અમે જે.-૧૨ અમે જાણ્યું પતિ વિણ રાજુલ ઓશિયાળી જે, એહને પણ સુખ ભર પ્રીતડી પાળી છે; દંપતિ દીક્ષા લેશું યવનમાં નહિ જે.-૧૩ નહિ એશિયાળી હું જગમાં કહેવાણી જે, ત્રણ જગતના રાજાની હું રાણી જે; ભૂતળ સ્વર્ગે ગવાણ પ્રભુ ચરણે રહી જે.-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org