________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫-૬]
ધનપાલનું આદર્શ જીવન
[૧૮૭]
જણાવ્યું કે-“રાજન પરમહંત મહાકવિ ધનપાલ સિદ્ધસારસ્વત કવિ છે. તેની રચના ઘણી જ સુંદર, ગંભીર અને આદરણીય છે. જેથી તે બોલવામાં લેશમાત્ર પણ હરકત નથી. આ સાંભળી કુમારપાલ ભૂપાલ અત્યંત ખૂશી થયા અને ધનપાલ કવિની ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા લાગ્યા.
સંત નામનારા'-આ ગ્રંથ પણ ધનપાલે રચ્યો હોય તેમ સંભવે છે; કારણ કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજીએ “ભુતિનપાત :” એ પ્રમાણે પિતાના “અભિધાનચિંતામણિ” નામના સંસ્કૃત કોષની વૃત્તિના પ્રારંભમાં જ મૂકી, વ્યુત્પત્તિના વિષયમાં ધનપાલના કોષને જ પ્રમાણભૂત માન્યો છે, અને સ્વરચિત દેશનામમાળામાં પણ સૂરીશ્વરે ધનપાલને નામેલ્લેખ કરેલ છે. આ પુરા “ સંસ્કૃત નામમાલા ' ગ્રંથને સંભવી શંકે છે. આ ગ્રંથ પ્રાયઃ ઉપલબ્ધ નથી.
“મનસ્તુતિની ” શોભન મુનિ કે જે ધનપાલના લઘુબંધુ થતા હતા તેમને મળ્યાએ વિવેકનૈાતા ઈત્યાદિ વીશે ભગવંતની ધમકમય સ્તુતિચતુવિંશતિ” બનાવી. જે હાલ શોભતુતિ તરીકે પ્રસિદ્ધ છે. તે સ્તુતિપર ધનપાલે સંસ્કૃત ટીકા રચી. તેના શરૂઆતના મંગલાચરણ અને અંતમાં “તવ કgશ્વાસુ તિષનgણ ' એ ઉપરથી આ સમજી શકાય છે. આ બાબતમાં આ જ માસિકના
(જુએ પાનું ૧૮૮)
( ૧-૨૦૯ ધનપાલ રચિત નામમાલા લેક ૧૮૦૦’ એવી યાદિ એક ટીપમાંથી મળે છે. તેમની રચેલી પાયલચ્છી નામે પ્રાકૃત નામમાલા ઉપલબ્ધ છે. તેની સંખ્યા આનાથી ઘણી ઓછી છે, તેથી પ્રાકત કરતાં આ નામમાલા જૂદી જ હોવી જોઈએ અને તે સંસ્કૃત નામમાલા હોય એમ સંભવે છે. ધનપાલે સંસ્કૃત શબ્દકોષ રચ્યો હતો તેનો પુરાવો તો ખુદ હેમચંદ્રાચાર્યના ગ્રંથમાંથી જ મળી આવે છે કારણકે તેમણે પોતાના અભિધાન ચિતામણિ નામે સંસ્કૃત ફેષની ટીકાના પ્રારંભમાં જ બુતિર્ધનપાત : એવો ઉલ્લેખ કરી શબ્દની વ્યુત્પત્તિના વિષયમાં ધનપાલના કોષને પ્રમાણભૂત માન્યો છે. આવી જ રીતે દશીનામમાલાની ટીકામાં પણ ધનપાલન નામલેખ કરેલો મળી આવે છે. આ કેપ હાલમાં કયાએ પણ મળી આવતા નથી. જિનવિજય (પુરાતવ ૨, ૨૪૦)
જૈન સાહિત્યનો સંક્ષિત ઈતિહાસ પૃ. ૧૯૯ ટિપણુમાંથી. | શબ્દકોષ ચા તો ધાતુઓને લગતા આવી જાતને ધનપાલ રચિત ગ્રંથ હોવો જોઈએ એમ અનુમાન કરવાને કારણે મળે છે. તેમાંનું પહેલું એક કલિકાલસર્વજ્ઞ પ્રભુ શ્રી હેમચંદ્રાચાર્ય અભિધાન ચિંતામણિ ટીકાની શરૂઆતમાં લખે છે કે- “ શુufaધનપાત :” આ મારા કામમાં વ્યુત્પત્તિ ધનપાલ તરફથી ધન પાળના કોઈ પણ ગ્રંથમાંથી છે, એમ સમજવું, વળી બીજું પ્રમાણ એ છે કે ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાળામાં એક ધાતુઓને લગતા ૨૦૦ લેાક પ્રમાણુને ગ્રંથ છે. તેના પર પુણાકાર નામની ટીકા છે. તેમાં ધનપાલનું નામ લગભગ ૪૫ સ્થળે આવેલ છે. હાલ એ ગ્રથ મારી પાસે હયાત નહી હોવાથી વિશેષ નિર્ણયો કરી શકતો નથી.
- તિલકમજરી કથા સારાશ પૃ૦ ૪. ૨-શોભન સ્તુતિપર ટીકા–ધનપાળના લઘુબંધુ શેભન મુનિએ ગેચરી જતાં આ “યમકમયસ્તુતિ ચતુર્વિશતિ” બનાવી છે. તેના પર ઘણી જ ખૂશીથી કવિએ વિસ્તૃ ટીકા લખી છે. એમ શ્રી પ્રભાવક ચરિત્રકાર કહે છે. મુનિ શ્રી જિનવિજયજી સૂચવે છે કે “પાટણ હાલાભાઇની ભંડારવાળી કીપમાં પ્રાય: આ ટાંકા મારા વાંચવામાં આવી છે.' “ તિલકમંજરી કથા સારાંશમાંથી, ",
For Private And Personal Use Only