Book Title: Jain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ દશથી જુદા અનેક આશ્ચર્ય સિદ્ધાંતમાં ચાલી આવતી પ્રથાઓથી ભિન્નપણે થઈ જાય છે, પરંતુ પ્રવૃત્તિ પછી જ નિવૃત્તિ એ સિદ્ધાન્તમાં કોઈ કાલે પ્રવૃત્તિ સિવાય નિવૃત્તિ એ આશ્ચર્યરૂપ બનાવ નથી બની શકતો. માટે પ્રવૃત્તિ પછી નિવૃત્તિ એમ કહેવું ઠીક છે. પરંતુ પ્રવૃત્તિનું અંતિમ પરિણામ નિવૃત્તિ એમ તો ન જ કહેવાય. તે સંવર તત્ત્વ, દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. જેમનાં લક્ષણે આ છે कर्म पुगलाऽदानविच्छेदो द्रव्यसंवरः । भवहेतुक्रियात्यागस्तनिरोधे विशुद्धाध्यवसायो वा भाषसंवरः । કર્મ પુદ્ગાલોના ગ્રહણને વિચ્છેદ કરવો તે દ્રવ્ય સંવર છે. અને તે રોકવામાં શુદ્ધ અધ્યવસાયનું હોવું તેનું નામ ભાવસંવર છે. ભાવસંવર કારણ છે. જ્યારે દ્રવ્ય સંવર કાર્ય છે. આત્માના વિશિષ્ટ પરિણામનો સદ્દભાવ તે જ ભાવ સંવર છે, જ્યારે કર્મના અટકાવરૂપ અભાવાત્મક દ્રવ્ય સંવર છે. स पुनर्द्विविधो देशसर्वसवरभेदात् । તે સંવરના દેશથી અને સર્વથી એમ બે ભેદા થાય છે. देशसंवरः प्रयोदशगुणस्थानं यावद् भवति। सर्वसंवरस्त्वन्तिमगुणस्थान एव निखिलाश्रवाणां निरुद्धत्वात् । इतरत्र तु न तथा। સર્વ આશ્રવના રેકાણથી સર્વથી સંવર ચૌદમાં ગુણસ્થાને હોય છે અને બાકીના તેર ગુણસ્થાનોમાં દેશ સંવર જ હોય છે. તેમાં પણ તારતમ્ય તે જરૂર હોય છે. તેમાં ગુણસ્થાનનો સંવર એ કિંચિત જ ન્યૂન હોવાથી દેશથી કહેવાય છે. લાખની રકમમાં એક રૂપિયા કમ હોય ત્યાં લાખ પૂરા ન કહેવાય તેવી સ્થિતિનો દેશ સંવર તેરમે ગુણઠાણે સમજવો જોઈએ. ગુણસ્થાન એટલે શું ? તે વાતની પણ અહીં સમજ આપવી આવશ્યક હોવાથી તેનું સ્વરૂપ પ્રથમ બતાવવામાં આવે છે. ત= મિથ્યાત્વ-સારવારજ-ઉન-વિરત-રવિરત-રમત-ઝામર-પૂર્વकरण-अनिवृत्तिकरण-सूक्ष्मसंपराय-उपशान्तमोह-क्षीणमोह - सयोगि-अयो. गिभेदाच्चतुर्दशविधानि गुणस्थानानि । ત્યાં મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત દેશવિરત, પ્રમત્ત, અમર, અપૂર્વકરણું, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મપરાય, ઉપશાંત મહ. ક્ષીણમેહ, સગી અને અમેગી નામના ભેદેથી ચૌદ ગુણ સ્થાને હોય છે. - જ્ઞાનવારિત્રામવાનાં જીવનનાં થાય છે ગુજરાgિप्रकर्षकृताः स्वरूपभेदा गुणस्थानानीति ॥ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ અવગુણોની યથાયોગ્ય શુદ્ધિ અશુદ્ધિના પ્રકપ તથા અપકર્ષથી ઉત્પન્ન થયેલા સ્વરૂપભેદનું નામ ગુણસ્થાન છે. આ ગુણસ્થાનકને ભેદનું લક્ષણ હવે પછી વિચારીશું. (અપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52