Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 210
________________ અનુકંપા કે જીવદયાના કાર્યમાં વાપરી ન શકાય; કેમ કે સાતે સાતક્ષેત્ર ભક્તિપાત્ર છે, જ્યારે અનુકંપા-જીવદયા કરુણાપાત્ર છે. એ જ રીતે અનુકંપા કે જીવદયાક્ષેત્રનો પણ એકેય પૈસો સાતક્ષેત્રના કામમાં વાપરી ન શકાય. સાધારણ ખાતાનો પૈસો પણ અનુકંપા-જીવદયામાં ન વાપરી શકાય. તેમ ગ્રામવિકાસનાં કામો, તળાવો બનાવવાં, વૃક્ષો વાવવાં, રોડ બનાવવા, ગટર વ્યવસ્થાઓ કરવી; જેવાં કાર્યોમાં : સાધારણ ખાતાનો પૈસો ક્યારેય વાપરી શકાય નહિ. શુભક્ષેત્ર - શુભખાતુ કે સર્વસાધારણ માટે જે રકમ એકઠી થયેલી હોય તેમાંથી સાતક્ષેત્ર ઉપરાંત અનુકંપા-જીવદયા આદિ તમામ કાર્ય થઈ શકે છે. રાજસ્થાનમાં સંઘોની જે નવકારશીના ચડાવાની આવક થાય છે, તે સાતક્ષેત્ર કે તેની સાથે સંકળાયેલાં તેનાં પેટાક્ષેત્રોમાં વાપરી શકાય. તે જ રીતે કે અધિષ્ઠાયક દેવદેવીના ભંડાર આદિની ઊપજનો પૈસો સાધારણ ખાતાનો છે, પણ એ સાતક્ષેત્રમાંનું સાધારણ છે, એ સર્વસાધારણ નથી; માટે એમાંથી અનુકંપા-જીવદયાદિનાં કોઈ કાર્ય થઈ શકે નહિ. તે ઉપાશ્રયનિર્માણમાં વાપરી શકાય, જેમાં માત્ર સમ્યગ્દર્શનાદિ ધર્મનાં જ અનુષ્ઠાન થાય તેવા કાર્યમાં વાપરી શકાય, આમ છતાં શ્રાવક-શ્રાવિકાના જમણવાર કે પ્રભાવના આપવા કરવામાં એનો ઉપયોગ કરી શકાય નહિ. એક મુનિરાજ ઝાંપા ચુંદડી કે ફૂલે ચૂંદડીનો ચડાવો થાય એની આવક તો શુભખાતે – સર્વસાધારણમાં જાય ને ? અમારા મહારાજે તમારા માટે રસ્તો કાઢ્યો. છે ને બુદ્ધિ ? એ રકમ સાતક્ષેત્ર ઉપરાંત અનુકંપા-જીવદયા-માનવરાહત-અકાલરાહત-ભૂકંપ રાહત આદિ કોઈ પણ માનવીય કે પશુ સંબંધી કાર્યમાં પણ વાપરી શકાય. સભા વસ્તુપાલ મંત્રી આદિએ કૂવા, તળાવ-મજીદનાં નિર્માણ કર્યા હતાં ને? पवरेहिं साहणेहिं पायं भावो वि जायए पवरो । न य अन्नो उवओगो एएसिं सयाण लट्ठयरो ।। ૧૮૪ જેતસંઘતા મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260