Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 208
________________ અનુકંપા-જીવદયા : અષ્ટાહ્નિકા મહોત્સવ કે કોઈ પણ ધર્મનો પ્રસંગ કરો તો એમાં જેમ સાધર્મિકભક્તિ જરૂરી છે, તેમ અનુકંપા અને જીવદયાનું કાર્ય પણ ક૨વું એટલું જ જરૂરી છે. અનુકંપા-જીવદયાનાં કાર્યો અને ઉચિતદાન ઉચિત રીતે ન ક૨વાના કા૨ણે પણ ધર્મની, ધર્મીઓની અને ધર્મગુરુઓની નિંદા થતી સાંભળવા મળે છે. વરઘોડો નીકળે અને ટ્રાફિક જામ થાય. લોકો તમને, તમારા ધર્મને, તમારા દેવ-ગુરુને નિંદે; ગાળો આપે, એવું પણ કેટલીકવાર અનુભવવા મળે છે. આવા સમયે સાથે જ અનુકંપાનું વિશિષ્ટ આયોજન કર્યું હોય તો એ લોકોને એવી તક જ ન મળે. વરઘોડાની આગળ-પાછળ ગાડાઓ રાખ્યાં હોય, મીઠાઈનાં પેકેટો બનાવી એમાં રાખ્યાં હોય. જેવો ટ્રાફિક જામ થાય કે તરત ત્યાં ઊભેલી દરેક ગાડીમાં જરૂ૨ી લખાણ સાથે દરેકને મીઠાઈનું એકાદ પેકેટ આપવામાં આવે તો શું કામ નિંદા કરે ? નિંદા કરનારનાં મોઢાં મીઠાઈથી ભરી દો. આ એક ઉચિત પ્રકારનું દાન છે, એનાથી એ નિંદા કરતા બંધ થઈ જશે. એ કામ તમને આવડતું નથી માટે નિંદા થાય છે અને તમે એમાં નિમિત્ત બનો છો. સભા : વરઘોડો કાઢવો એ તો નકામો ખર્ચ છે, એના બદલે સાધર્મિકભક્તિમાં આપીએ તો ? આવું વિચારવું કે બોલવું તે પાપ છે. ક્યારેય બોલશો નહિ. સાધર્મિકભક્તિનું પણ અનુષ્ઠાન કોણે બતાવ્યું ? દેવ અને ગુરુએ જ ને ? એમના સન્માનાર્થે, એમની ભક્તિ નિમિત્તે, એમનો જગતને પરિચય થાય એ માટે વરઘોડા કઢાય છે. એમાં નકામો ખર્ચ છે એમ કહેવું અજ્ઞાન છે. એવું કહેનારાએ પોતાનાં દીકરા-દીકરીના લગ્નના ખર્ચા બંધ કર્યા ? સાધર્મિકભક્તિમાં એણે પોતાનું કેટલું આપ્યું ? તે તો કહો ! અનુકંપા-જીવદયા એ સુપાત્ર પણ નથી અને કુપાત્ર પણ નથી, પરંતુ એ श्रद्धालुतां श्राति पदार्थचिन्तनात्, धनानि पात्रेषु वपत्यनारतम् । किरत्यपुण्यानि सुसाधुसेवनादथापि तं श्रावकमाहुरञ्जसा ।। ૧૮૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only . योगशास्त्र टीका KO 4 ]] www.jainelibrary.org


Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260