Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 230
________________ • દેરાસર આદિ ધર્મસ્થાનોની વ્યવસ્થા, સારસંભાળ અને વહીવટ કરનારને ‘વૈયાવચ્ચ’ નામનો તપ કર્યાનો લાભ મળે છે. - દેરાસરની છતના પ૨નાળીયાથી આવેલ પાણીનો શ્રાવકે પોતાના કે બીજાના કાર્યમાં ઉપયોગ ન કરવો. કેમ કે દેવને ચડેલા ભોગદ્રવ્યની જેમ આવા દ્રવ્યોનો ઉપભોગ પણ દોષદાયી છે. • દેવદ્રવ્યનાં વાજાં (વાજિંત્રો) વગેરે ઉપકરણો ગુરુમહારાજ કે સંઘની સામે (સામૈયામાં) ન વગાડવાં, ન વાપરવાં. મોટા કા૨ણે વગાડવાં-વાપરવાં જ પડે તો વધારે નકરો આપીને જ વગાડવાં-વાપરવાં. • દેવદ્રવ્યનાં ઉપકરણો નકરો આપ્યા વિના પોતાના કાર્યમાં વા૫૨વાવાળો દુઃખી બને છે. • જ્ઞાનદ્રવ્યના કાગળો, કલમ વગેરે ઉપકરણો સાધુ-સાધ્વીજી ભગવંતોને ખપી શકે. શ્રાવક તેમનો ઉપયોગ ન કરી શકે. જ્ઞાનદ્રવ્યનાં લાવેલાં-છપાવેલાં ધાર્મિક પુસ્તકો પણ સુયોગ્ય નકરો આપ્યા વિના શ્રાવક વાંચી ન શકે. ♦ સાધારણ દ્રવ્ય પણ સંઘે આપેલ હોય તો જ શ્રાવકને ખપી શકે. • પ્રશ્નોત્તર સમુચ્ચય, આચારપ્રદીપ, આચારદિનકર અને શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથો મુજબ શ્રી જિનેશ્વર ભગવાનની અંગપૂજાની જેમ જ શ્રી ગુરુમહારાજની અંગપૂજા અને અગ્રપૂજા સિદ્ધ થાય છે. ગુરુપૂજનનું આ દ્રવ્ય ગુરુથી પણ ઉપરના એવા જિનમંદિર જીર્ણોદ્ધાર અને નવનિર્માણ ક્ષેત્રમાં જ વા૫૨વું જોઈએ. પ્રભુની અંગપૂજામાં આ દ્રવ્ય ન વાપરવું. ધર્મસ્થાનમાં વા૫૨વા માટે બોલેલ દ્રવ્ય જૂદું જ રાખવું. એને પોતાના અંગત ખાણી-પીણી આદિના ખર્ચમાં ભેગું ન કરવું.તીર્થયાત્રા માટેકમ કાઢી હોય તો ગાડીભાડું,નિવાસ, ખાણી-પીણીનો ખર્ચો તેમાંથી ન કાઢવો. એ મોટું પાપ છે. કોઈકે ધર્મકાર્યમાં વાપરવા માટે કાંઈક ધન આપ્યું હોય, તેને તે વ્યક્તિના નામની સ્પષ્ટ જાહે૨ાત ક૨વાપૂર્વક વા૫૨વું જોઈએ. પોતાના નામે કે મૌન રહીને ન વાપરવું. માતા-પિતા વગેરે સ્વજનોને અંતિમ અવસ્થા પ્રસંગે સુકૃતમાં જે ધન વાપરવાનું જાહે૨ કર્યું હોય તેને સંઘ સમક્ષ સમયમર્યાદા પૂર્વક જાહે૨ ક૨વું ૨૦૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260