Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 215
________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ સ્વાધ્યાય પણ તપ છે. સ્વાધ્યાયને તપોમાં સર્વશ્રેષ્ઠ તપ કહેવામાં આવ્યું છે. જૈન ધર્મમાં બે પ્રકારનાં તપ હોય છે : બાહ્ય તપ અને આત્યંતર તપ. બાહ્ય તપ શરીરની બાહ્ય ક્રિયાઓ સાથે સંબંધિત છે અને આત્યંતર તપનો સંબંધ મનના વિકારો અને કષાયોનું દમન ક૨વા સાથે છે. ઉપવાસ કરવો, ઓછું ખાવું, અમુક વસ્તુનો ઉપભોગ - ત્યાગ વગેરે બાહ્ય તપનાં ઉદાહરણ છે. પોતાની ભૂલોનો સ્વીકાર કરીને એના માટે પ્રાયશ્ચિત્ત કરવું, ગુરુજનોનો વિનય કરવો, બીજાની સેવા કરવી, સ્વાધ્યાય કરવો વગેરે આત્યંતર તપ છે. ૧૯મી સદીમાં જૈન વિદ્વાન પં. ટોડરમલજીએ એ સમયની જયપુરમાં પ્રચલિત લોકભાષામાં લખ્યું, “નો માન વાડ્ જે વાસ્તે વદ્યુત ૩૫વાસ સંગીાર રિ । બંધન જી ની મૂઆ મરે તો વિરૢ સિદ્ધિ નાહી ।।” આ રીતે તપ કોઈ માન, માયા, લોભ, પ્રશંસાને માટે નહીં પરંતુ આત્મશુદ્ધિને માટે હોય ત્યારે સાર્થક થાય છે . (૮) ઉત્તમ ત્યાગ : ન મળેલા ભોગોની ઇચ્છા ન કરવી અને મેળવેલા ભોગોથી અલગ થઈ જવું ઉત્તમ ત્યાગ છે. સંઘરવાની વૃત્તિ દૂર કરવાથી ત્યાગનો રસ્તો ખૂલી જાય છે. સાચો ત્યાગ ત્યારે થાય છે જ્યારે મનુષ્ય ઓછામાં ઓછી સાધન-સામગ્રીમાં સંતોષ કેળવી અને,આનંદમય રહેવા લાગે છે. આવા ત્યાગથી સામાજિક વિષમતા દૂર કરવાનું વાતાવરણ સર્જાય છે. ‘બારસ અણુવેક્ખા’માં કહેવામાં આવ્યું છે : “જે બધાં દ્રવ્યો પ્રત્યે મોહ છોડીને સંસાર, શરી૨ અને ભોગો પ્રત્યે વિરક્તિની ભાવના રાખે છે તે ત્યાગ ધર્મનું પાલન કરી શકે છે. ૫૨૫દાર્થો પ્રત્યે આસક્તિભાવ રાખવો પરિગ્રહ છે.” તપથી ચેતના જાગ્રત થાય છે અને ત્યાગથી આપણે આત્મશક્તિ વધારવા માટે સશક્ત અને સક્ષમ બનીએ છીએ. ‘પરત્વ’નો ત્યાગ અને ‘સ્વત્વ'નો વિસ્તાર એવા ગુણ છે, જે સહિષ્ણુતા વધારે છે. ત્યાગ અજ્ઞાનની, મનના મેલની, મનના કષાયની - એક સ્વૈચ્છિક સંકલિત Jain Education International 198 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266