Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 251
________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ જીવનશૈલી પરિવર્તન, આવેશ નિયંત્રણ, આજીવિકા શુદ્ધિ, સર્વધર્મ સમભાવ, નૈતિક મૂલ્યોના સંવર્ધનની. ત્યારે વ્યક્તિ અને સમાજમાં અહિંસામાં શ્રદ્ધા સંસ્કાર બનશે અને વ્યક્તિ તથા સમાજ સ્વસ્થ, સંયમિત, સંતુલિત અને સમન્વયી બની શકશે. એકસાથે આર્થિક ઉત્થાન, સમાજસુધાર તથા નૈતિક જાગરણના માધ્યમથી જ અહિંસક સંસ્કૃતિ પ્રત્યે જનમાનસમાં જવાબદારીપૂર્ણ નિષ્ઠા જાગ્રત થશે. વ્યક્તિ સ્તરે આપણે પોતપોતાના જીવનમાં નિષ્ઠા અને લગનથી, સત્ય, અહિંસા, કરુણા અને બંધુત્વનાં ગુણતત્ત્વોને સતત વધારતાં રહીએ. આપણે સંયમ, અપરિગ્રહ તથા સ્વૈચ્છિક ઉપભોગ નિયંત્રણના સંસ્કારને સ્વયં નિભાવીને બીજાને પણ પ્રોત્સાહિત કરીએ. આપણે પોતપોતાના વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં આધ્યાત્મિક ચિંતન, નૈતિક વિકાસ, પ્રેક્ષાધ્યાન તથા યોગાભ્યાસ અને અણુવ્રતનું પાલન કરીએ જેનાથી માનસિક તનાવ દૂર થાય તેમજ આપણાં તન અને મનમાં શાંતિ, સૌમ્યતા અને મધ્યસ્થતાના ગુણનો વિકાસ થાય. આપણે “જીવો અને જીવવા દો સિદ્ધાંતને અનુલક્ષીને જીવદયા અભિયાનોમાં સક્રિય ભાગ લઈએ તથા શાકાહારનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરીએ કારણ કે એમાં સમાયેલાં છે અહિંસાજન્ય નૈતિકતા, વિશુદ્ધ, આધ્યાત્મિકતા, પર્યાવરણીય ચેતના તથા પોષક સ્વાથ્યવર્ધન. સામાજિક સ્તરે આપણે સમાજમાં એવું સદ્ભાવના અને સમતાભર્યું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરીએ જેનાથી આપણે કોઈ પણ માનવ અથવા પ્રાણીને કોઈ પણ પ્રકારનું દુઃખ, ઠેસ, હિંસા, ધૃણા, તિરસ્કાર અથવા શોષણનો શિકાર ન બનાવીએ અને બીજાઓમાં પણ આ જ મનોવૃત્તિ જગાવીએ. 234 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266