Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુ દેવ ગુરૂ અને ધર્મની ઓળખાણ કરવા છે ઍલ. शुद्ध देख गुरु अन धर्मली ओळखाण शरी, एक निष्ठात्री તેનો કાર જ ના અશરફરાજે છે. રાગ દ્વેષ અને હાદિ સકળ દુઇ વિકાને સંપૂર્ણ રીતે જીવી લઈ, જેઓ સર્વજ્ઞ, સર્વદશી, સર્વ શક્તિ સંપન્ન થઈ, અનંત અને અખંડ શુદ્ધ સ્વાભાવિક આનંદ અનુભવી રહ્યા છે તે જિનેશ્વર જ જગતમાં સર્વોત્કૃષ્ટ દેવ છે. તેમના પવિત્ર દર્શન, વંદન, અને પૂજન કરનારા ભવ્યાત્માઓ પોતાનાં સઘળાં પાપ પખાળીને અંતે પરમાનંદ પામે છે. જિનેશ્વરોએ કથેલા યુદ્ધ સનાતન ધર્મ સર્વથા માન્ય કરવા યોગ્ય છે. તેમનાં નિર્દોષ વચને શાસ્ત્રસિદ્ધાન્તરૂપ સદા હિતકારક જ હોય છે. તે નિર્દોષ વચનું રહસ્ય જાણવા સદા ઉત્સુક રહેવું ઉચિત છે, કેમકે એ ઉત્તમ વચને સંપૂર્ણ અનુભવગત હોવાથી અને નિષ્પક્ષપાતપણે કહેવાયેલા હોવાથી સતુ અને રુક્તિથી ભરેલાં છે, જેથી સહદય હાય તે તેને સુખે સમજી શકે છે. શ્રીવીતરાગ પરમામાના પવિત્ર વચનોને અનુસરી ઉત્તમ આચાર વિચારને સ્વયં સેવનારા અને અન્ય ભવ્યાભાઓને એવાજ ઉત્તમ આચાર વિચાર નિ:સ્પૃહભાવે સમજાવવા અમ લેનારા અને એ રીતે સ્વપને આ ભીષણ ( ભયંકર) ભવસાગરથી તારનારા ઉત્તમ આચાર્ય ઉપાધ્યાય અને સાધુજનોનેજ આત્માથીજનોએ સદ્દગુરૂ લેખવા વ્ય છે. એવા ઉત્તમ ગુરૂઓની શુદ્ધ શ્રદ્ધા સહિત ભક્તિ કરનારા અને તેમની પવિત્ર આજ્ઞાને આધીન રહી ચાલનારા શિષ્ય સુખી જ થાય છે--જેઓ મોહપ્રમાદને તાજી રવાપર હિત કરવા ઉજમાળ થયા હોય તેઓ સાધુધર્મને સારી રીતે પાળી શકે છે. એવા ઉત્તમ સાધુજનું સદાય શરણ કરવું યોગ્ય છે. તેઓ નિ:સ્વાર્થ મિત્ર કે બંધુની પિરે બધા ઉપકાર કરે છે. મનથી વચનથી અને કાયાથી નિઃસ્વાર્થપણે ઉપકાર કરી જેઓ જગતને જીવોનું ભલું કરે છે તેઓ ખરેખર સાધુપદવીને શોભાવે છે. પિતાના પવિત્ર આચરણથી ભવ્યાત્માઓ ઉપર તેઓ સારી છાપ પાડી શકે છે. રાગ દ્વેષ અને મહાદિ દેવોને દૂર કરી શુદ્ધ રફાટિક રત્ન સમાન ઉજવળ (નિષ્કપાય) આત્માને ધર્મ પ્રકટ કરવા માટે જિનેશ્વર દેવ આપણને જ્ઞાન દર્શન અને ચારિત્ર સેવનરૂપ ઉત્તમ ઉપાય બતાવે છે, તે મુજબ વર્તવાથી આપણું શીધ્ર શ્રેય થાય છે. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ પણ જિનેશ્વર દેવાએ કાવ્ય જીવોના કલ્યાણાર્થે બતાવેલ છે, તેનું વિવેકથી સેવન કરનારા અંતે અવિચળ-મોક્ષસુખ મેળવી શકે છે. પછી તેઓ ત્યાં સદાય પરમ આનંદમાં નિમગ્ન રહે છે. તેમને જન્મ જચ મરણના ફેરા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36