Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir មួ ઉં અને ચણાનો સંવાદ. કરે છે. માટે હૈ ચહક ! તું મારી બબરીમાં આવી શકે તેમ છેજ નહિ.” વળી હે ચણક ! હું વધારે શું કહું પણ-ખાંડ, ગોળ વિગેરેની મધુરતા પણ મારે લીધેજ વધારે માનપાત્ર થાય છે, અને જે મારી અછત થાય છે તો હું રાજવંશી કુળ સિવાય અન્યત્ર નિવાસ કરતો નથી. વળી છે ચણક ! જે. હું ન હોઉં, તો લોક પુડલા, ઘુઘરા, મિષ્ટા, લાપસી, લાડવા અને માંડા-– વિગેરે સારી સારી રીતે શી રીતે બનાવીને આનંદ ઉઠાવી શકે ? ” આ પ્રમાણેનાં ઘઉંના આત્મલાદાનાં વચને શ્રવણ કરી મનમાં રોષ લાવીને ચણકે કહ્યું -“હે ગેધમ ! મિથ્યા ગુણની ગર્જના કરવાવાળી આ તારી વાંણી (ગો ) જ્યાંસુધી કાનમાં જાય છે, ત્યાંસુધી મોટા ઓછામાં પણ ધીમંત માણસના મસ્તકમાં “ધૂમ” ભરાઈને રહે છે. એટલા માટે જ વાણીરૂપ છે ધૂમ જેને ” આ પ્રમાણેનું સમગ્ર વિચક્ષણ પુરૂષોમાં પ્રયાત એવા ગુણાનુસારી (ગોધૂમ) નામને તું અત્યારે ધારણ કરે છે. માટે તે ધુમ ! મને હલકો પાડવાની તું શા માટે કાશીશ કરે છે ? મારામાં કેવા અદ્દભુત ગુણા રહેલાં છે, તે તો તું સાંભળ:-- અ જે મારે રાક લે છે તોજ તેઓ અતિશય પુષ્ટ બને છે, શેઠ કે શાક માટે મારો ઉપગ કરે છે, માણસો મને ઇંદ્રનીલ અથવા નીલક કહીને કેટલેક ઠેકાણે બોલાવે છે, જેમાં ભુજવાના વાસણમાં બીજના ઉપગને માટે હું ઉટ થઈને શું કૂદકા નથી મા તો? જે હું આદ્ર દેઉં તે રસવતીને વધારે સ્વાદિષ્ટ બનાવું છું અથવા તેને પચાવવામાં પણ મદદગાર થાઉં છું, પાણીમાં પલાળેલી મારી દાળ પર વખતે તપસ્વીઓના પિત્ત નાશ કરે છે ને સોળવલા સોનાની સાથે હું તુલનામાં આવું છું. ગોળ, ઘી કે સાકરના મેલન વખતે મારું મેલન પણ ત્યાં હોયજ છે, મારા ગુણોનું યથાર્થ રીતે વર્ણન કરે તેજ કલાવતમાં લાવ્ય છે. વળી મારા સ્વભાવને તું જાણતો નથી, હું જે કરૂણ થાઉં, તો રાજઓને પણ વ્યથિત કરવા સમર્થ છું, માટે ચાલ આપણે શ્રીકૃષ્ણ પરમાત્મા પાસે જઈએ, ને આપણે ઈનસાફ કરાવીએ.” આ પ્રમાણે વાતચીત કરી બંને શ્રીકૃષ્ણ પાસે ગયા. તેમણે તેમને આવવાનું કારણ પૂછ્યું, એટલે તે બંને પોતપોતાનાં ગુણોનું વર્ણન કરવા લાગ્યા. તેમની પ્રગટ રીતે અને પૂર્ણપણે આમલાધા સાંભળીને પાણિગ્રહણાદિ મોટા કાર્યોમાં ધમની તેવા પ્રકારની અગણ્ય ઉપયોગિતા હોવાથી ચણાની અવગણના કરીને ગોવિંદ પષ્ટતાથી બેલ્યા:- સાંભળો, તમારા બંનેમાં ધાજ અધિક ગુણવાન છે.” કૃણનો આ ઈનસાફ સાંભળીને “રાજકુધી જળ કે છળથીજ પ્રાદા થઈ શકે છે, આવા પ્રકારનો નીતિમાર્ગ હોવાથી ચણુક ભોજન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36