________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
भक्तिने मिषे थती आशातनाओ. આ બાબત બહુ વિચાર કરવા લાયક છે. ઉત્તમ અને ભવભીરૂ પ્રાણીઓ એનાથી ઘણાજ ડરતા રહે છે. પરંતુ કાંઈક તો દિઈ વિચાર નહીં કરવાથી, કાંઈક ઉપેક્ષા ભાવ રાખવાથી, કાંઈક બંધની મંદતાથી અને કાંઇક તેના વિચારને જાગૃત કરનારની ખામી હોવાથી ભક્તિ કરવાની ઈચ્છા છતાં પણ જિનપૂજાદિ ધર્મકિયા કરતાં પ્રાણ જિનેશ્વરની આજ્ઞાભંગ રૂપ તેમજ અન્ય પ્રકારની આશાતનાઓ કરે છે. તે આ નીચે યથામતિ બતાવવામાં આવી છે. બુદ્ધિમાને તેની ઉપર વિચાર ચલાવી જેટલી હકીકત એગ્ય લાગે તેટલીને સત્વર સ્વીકાર કરશે એવી આશા છે.
૧. પ્રથમ તો શ્રાવકને સ્નાન દરરોજ કરવાનું માત્ર જિનપૂજા નિમિત્તેજ કહેલું છે. તે સિવાય દરરોજ સનાનનો નિષેધ છે. જિનપૂજા નિમિત્તે ન્હાવું તે પણ પરિમિત (માપેલા) જળથી અને જ્યાં અન્ય લીલકુલની કે ત્રસ જીવની વિરાધના ન થાય તેવી રીતે જાણીથી ન્હાવું જોઈએ, તેને બદલે એવી રીતે એવે ઠેકાણે હોળે ભાગે મુંબઈ જેવા મેટા શહેરમાં તેમજ અન્યત્ર પણ ન્હાવામાં આવે છે કે જ્યાં જયણા બીલકુલ પળાતી નથી, પાણીનું પરિમાણ રાખવામાં આવતું નથી અને અનંતા અનંતકાય જીવો ( લીલ કુલ ) ની વિરાધના થાય છે, તેમજ ત્રસ જીની પણ વિરાધના થાય છે; આમ થવાથી જિનેશ્વરની આજ્ઞાનો પ્રારંભમાં જ ભંગ થાય છે. તે એક પ્રકારની આશાતનાજ છે.
૨. ન્હાઈને પછી પહેરવાની ધાબળી અને ત્યાર પછી પહેરવાનાં લુગડાં એવાં મેલાં, કે ગદાં અને ગંધાતા તેમજ ફાટેલાં પણ હોય છે કે જેને માટે સારી સ્થિતિવાળાએ તદન શરમાવા જેવું છે. એક વર્ષે પણ એક જેડ લુગડાં જોતાં નથી, તેટલાં જે પોતે રાખે તો સામાન્ય સ્થિતિવાળાને પણ બાધ આવે તેવું નથી, છતાં માત્ર કેઈકજ રાખે છે, જે રાખે છે તે પણ સ્વચ્છ રાખવાની ચિવટ ધરાવતા નથી, એથી શરીરને નુકશાન થાય છે, એટલું જ નહીં પણ પરમાત્માનોઅનાદર દેખાય છે અને તેની ભક્તિમાં ખામી દેખાય છે. આ આશાતનાજ છે.
૩. જિનેશ્વરની દ્રવ્યપૂજાના પ્રારંભમાં જળપૂજા કરવામાં આવે છે. તે બે ઘડી લગભગ દિવસ ચાલ્યો હોય, સૂર્ય પ્રકાશ આવતો હોય, જીવ જતુ રાત્રિના ભરાયેલા આઘાપાછા થઈ ગયા હોય, છતાં. જે રહેલા હોય તે જોઈ શકાય તેમ હોય અથવા તેનું મોરપીંછીવડે નિવાર થઈ શકે તેમ હોય ત્યારે તે જળપૂજા કરવી યોગ્ય છે. પરંતુ કેટલેક સ્થાનકે અને કેટલીક વખતે એટલી બધી વહેલી અને પૂર્વોક્ત પ્રકારની જયણા જાળવ્યા સિવાય જળપૂજા (પ્રક્ષાલન) કરવામાં આવે છે કે જેમાં જીવદયા જળવાતી નથી અને તીર્થકરની આજ્ઞાનો ભંગ થાય
For Private And Personal Use Only