Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય અને શોધક એ છે જે બાળકોને સંવાદ. ২৬ અવકાશ જ નથી. એને એની ગંધ પણ આવે તેમ નથી. તેથી તે દશાને પ્રાપ્ત કરવા માટે સંસાર તજવાનીજ ખાસ અપેક્ષા છે. સંસારથી ન્યારા થયેલા–જેમના હૃદયમાંથી સંસારની વાસના માત્ર ઉઠી ગયેલી છે એવા મહામુનિઓ શાસ્ત્ર દષ્ટિવડે એટલે શ્રુતજ્ઞાનવડે પ્રથમ રાકળ શબ્દબ્રહ્મને જાણીને પછી સ્વસવેદ્ય એવા પરબ્રહ્મને અનુભવ કરે છે. આ સ્થિતિ અત્યંત દુર્ઘટ છે, મોંઘી છે, મુશ્કેલ છે, સહેજે પ્રાપ્ત થાય તેવી નથી, પરંતુ જેને તે પ્રાપ્ત કરવા દઢ અભિલાષા છે-જીજ્ઞાસા છે, તેણે પ્રથમ સંસાથી ન્યારા થઈ, વિષય કષાયને યથાશક્તિ જય કરી, શ્રત જ્ઞાનના બળને વધારી, સમભાવમાં સંપ્રયુકત થઈ પછી અનુભવજ્ઞાન મેળવવા તત્પર થવું એટલે તે સહેજે પ્રાપ્ત થશે. એને માટે પ્રથમ જ્ઞાન ક્રિયા બંનેની અપેક્ષા છે, પછી માત્ર જ્ઞાનની એકલાની જ અપેક્ષા છે. આ સ્થિતિનું વર્ણન ગમે તેટલું કરીએ પણ તે શબ્દચર પૂર્ણ પણે થઈ શકે તેમ નથી. તે તે આત્માને અનુભવનો વિષય છે. એવું અમૂલ્ય અનુભવજ્ઞાન મેળવવા દરેક સમકિત દષ્ટિ જીએ પ્રયાસ કરો, કારણકે એ પ્રયાસનું પરિણામ જે લાભમાં આવે તો પછી અપ્રતિપાતી જ્ઞાન-કેવળજ્ઞાનની પ્રાપ્તિ બહુ નજીક થઈ જાય છે. અને આત્મા અ૫ કાળમાં અજરામર દશાને પ્રાપ્ત કરે છે. આ વિવેચન બહુ સંકુચિત લખાયેલ છે, તેનું કારણ પણ અનુભવજ્ઞાનને - અનુભવ નહીં તેજ છે. તે પણ કાંઈક શબ્દાર્થ વિગેરે મેળવવામાં ઉપયોગી થશે ' એમ જાણી પ્રયાસ કર્યો છે. તંત્રી. सत्य अने शोधक एबे जैन बाळकोनो संवाद. સત્ય–શોધક ભાઈ ! આપણે અને બીજા બાળકે જે જૈનશાળામાં જાણીએ છીએ તેમાં તથા દરેકે દરેક જૈનશાળાઓમાં આજકાલ જે કેવળગેખણીયું કામ વધુ પડતું ચાલે છે તે કમી કરીને જે તેના અર્થની સમજ સાથે ચલાવવામાં આવે અને તે સાથે વળી સારા સારાં જરૂરી બને પૂછી તેને વ્યાજબી ઉત્તર સમજાવવામાં આવે તે આપણી બુદ્ધિ કેવી ખીલવા માંડે વારૂ ? શોધક–ભાઈ સત્ય ! હારું કહેવું યથાર્થ જણાય છે. કેમકે આપણે હરહમેશ જૈિનશાળાએ જઈએ છીએ તેમ છતાં જે કોઈ આપણને આપણુ દેવ ગુરૂ અને ધર્મ સંબંધમાં જરૂરી પ્રશ્ન પૂછે તે તેને ઉત્તર દેતાં અચકાવું પડે છે, અને ઉત્તર બરાબર દેતાં ન આવડે ત્યારે ખરેખર શરમાવું પણ પડે છે, સત્ય–ઉત્તર દેતાં ન આવડે ત્યારે શરમાવું તે પડે જ ને ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32