________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦.
જૈનધર્મ પ્રકાશ. ૨૧ ઉચિત રીતે નિજ કુટુંબ પિષણ કરતાં રહેવું. દીન દુઃખીને પણ યથાશક્તિ
રાહાય આપવા મૂકવું નહિ. ૨૨ લાભાલાભ સંબંધી રોગ્ય વિચાર કરી કાર્યારંભ કરે. એકાએક સહ
સાકાર ન કરે. વિચારી પગલું ભરનાર સુખી થાય છે. ૨૩ એ ઉપરાંત લાવંત થવું, વિનયવંત થવું, દયાવાન થવું, સમતા
વંત થવું, વિચક્ષણ થવું, લેકપ્રિય થવું, કૃતજ્ઞ થવું, ઈન્દ્રિયજિતુ થવું અને કામક્રોધાદિ ષડરિપુના વિજેતા થવું એ આદિ સમસ્ત ગુણે
સેવવા-આદરવા એગ્ય છે. ૭ પ્ર-માનુસારીપણના ગુણવગરના શ્રાવક ન કહેવાય? ઉ–તેવા ગુણવગર તો નામમાત્ર શ્રાવક લાલ કહો પણ પરમાર્થ રૂપે શ્રાવક
તે એ અને અક્ષુદ્રતા-ગંભીરતાદિક ઉત્તમ ગુણવડેજ કહેવાય. ૮ પ્ર-વળી અક્ષુદ્રાદિક કયા ક્યા ગુણો આદરવી જોઈએ? ઉ૦-૧ પરાયાં છિદ્રદોષ જોવાની ટેવ પડી હોય તે ટાળીને ગુણગ્રાહક દ્ર
ધારવી–આદરવી, ગંભીરતા રાખતા રહેવું. ર માયા-કપટ કે શઠતા તજી સરલ સ્વભાવી થવું. ૩ સુદાક્ષિણ્યતાવંત થવું–પ્રેરણાગે પરહિત કરવા તૈયાર થવું. ૪ નિપક્ષપાતપણે જ્યાં સત્ય હોય ત્યાં જ પ્રીતિ ધરવી. ૫ પ્રાણુતે પણ અસત્ય-ધર્મવિરૂદ્ધ ભાષણ નજ કરવું, તેમજ પારકી કુથલી
નહિ કરતાં કંઈપણ હિતકારી ધર્મચર્ચા કરવી. ૬ કુટુંબ પણ ઘમરુચિવાળું હોય, જેથી ધર્મમાં સહાયભૂત થાય. ૭ સ્વતઃ પરોપકાર કરવા પ્રેમ પ્રગટે અને પરોપકાર સાધે. ૮ આદરે તે કાર્ય કુશળતાથી પાર મૂકે એવી કાર્યદક્ષતા હોય. ૯ શરીરની આરોગ્યતા અને ઇન્દ્રિય પતાદિક સંબંધી સારી રીતે સંભાળ રાખે, એમ સમજીને કે તે બધાં ધર્મસાધનનાં અંગરૂપ છે. એ અને બીજા કેટલાક ગુણો ઉપર વર્ણવ્યા છે તે સાથે હદયની કે મળતા
પ્રમુખ સગુણવડે જીવ શ્રાવકધર્મને લાયક બને છે. - પ્રવે-આ બધા ગુણ બહુજ ઉપગી હોવાથી બારીકીથી સમજીને અવશ્ય
આદર કરવા ગ્ય છે. તેનું વિશેષ વર્ણન ક્યાં મળી શકશે? ઉ૦-અસરકારક રીતે દાખલા દલીલે સાથે તો ધર્મરત્ન પ્રકરણ, ધર્મબ, | વિગેરે ગ્રંથોના ભાષાંતરમાં તેનું વિશેષ વર્ણન જોઈ શકાશે. બાકી સામાન્ય
રીતે તે જેન હિતોપદેશ ભાગ ૧-૨-૩, અને શ્રાવકકલ્પતરૂ વિગેરેમાં પણ . તેનું વર્ણન જોઈ શકાશે.
For Private And Personal Use Only