________________
જેન ચિત્ર-કલ્પલતા શ્રીપાલ રાસનાં ચિત્રો એ રીતે ચિત્રકારની સમકાલીન સૃષ્ટિનું ચિત્ર છે. આ ચિત્રની ચિત્રકળાની કદર કરતાં સાથે સાથે તેમણે જે સાહિત્ય અને ક્રિયાઓથી આ પ્રતો તૈયાર કરી હશે તે પણ આશ્ચર્યકારક પ્રકાર ગણવો જોઈએ. તાડપત્રીને ચૂંટીને ચિત્ર યોગ્ય સફાઈ પર લાવવાં તેમજ ચિરસ્થાયી બનાવવાં, અને વિવિધ રંગો ઉખડી ન જાય એવી ક્રિયાથી ભૂમિકા પર તેમને સંલગ્ન કરવાં એ બધી વાતે આજના કલાકારને મહાન ભેદે જ રહેવાની. આજે ચિત્ર ચિરંજીવપણ માટે સાધન કે રંગોની લેશમાત્ર પરવા કોઈ રાખતું નથી. તેને સેંકડો વર્ષોથી તેમના સર્જકોના પ્રતિભાની સાખ પૂરતા આ નમૂના શરમમાં નાખે એવા છે. આ બાબતમાં તો કુશલ વૈજ્ઞાનિકે, કલાકારો અને પ્રાચીન શાસ્ત્રવિશારદાનું મંડળ એકાગ્ર થઈ કામે લાગે તો જ પુનરુદ્ધાર થઈ શકે.
આ ચિત્રોમાં શૈલીનું અનુકરણ, ઘૂંટણ અને કેટલાક આકારોનાં બીબાં બરોબર સચવાયાં હોય છે એટલે આપણને વૃત્તાંતનો ઉકેલ જરા યે મુશ્કેલ પડતો નથી. વૃત્તાંત સાથે આપણને રિવાજો, વસ્ત્ર, ઘરો, ઉપસ્કર વગેરેનો સારામાં સારો ખ્યાલ મળે છે. બારમીથી અઢારમી સદી સુધીનું લોકજીવન જેવું હોય તો આમાં મળી શકે.
આ ચિત્રોની બીજી ખૂબી એ છે કે સાધારણમાં સાધારણ માણસને પણ ચિત્ર સમજાય એવી રીતનો તેમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. તડકો હોય ત્યારે આખું ચિત્ર પીળા રંગમાં જ ચીતર્યું હોય. રાત્રિ હોય ત્યારે ભૂરા રંગ પર જ ચીતરાયું હોય. ઘરમાં રાત્રિ હોય અને દીવો ચાતર્યો હોય તો બધું લાલ ભૂમિ ઉપર આલેખ્યું હોય. વળી પ્રસંગ પ્રમાણે ઋતુ તથા કાળ દર્શાવતાં માણસ અને જનાવરોથી આપણે બધું તરત અટકળી શકીએ છીએ. નદી સરોવર કે કુંડ, તેના પાણીમાં વમળાની રેખાએથી જ સમાઈ જાય છે. વૃક્ષે ફળો વનસ્પતિઓ વગેરે બરોબર ઓળખાય તેમ તેના પાન થડ વગેરે ચીતરાએલાં નજરે પડે છે. વાસ્તવિક દર્શન કરતાં આ લાક્ષણિક દર્શન ચિત્રણાના નિયમોમાં વધુ ઉપયોગી ગણાયું છે.
આજ સુધી ભારતીય ચિત્રકળાના ઈતિહાસમાં ગુજરાતનો નામોલ્લેખ નહતો, પરંતુ મધ્ય યુગના આ ચિત્રકળાના નમૂના માત્ર ગુજરાતમાં જ મળ્યા હોવાથી ગુજરાતને તેથી ગૌરવ પ્રાપ્ત થયું છે. આ પ્રાચીન ચિત્રાકૃતિઓની છાયા રાજપૂત કળામાં કેમ ઊતરી ને મુગલ કળાને સમૃદ્ધ કરવામાં આનુવંશિક ઉપકાર કેવી રીતે થયો તેનાં અંકોડા તો હજી બેસાડવાના રહે છે જ; તોપણ જે સ્થાપત્યરચનાઓ અને વસ્ત્ર આ ચિત્રમાં દેખાય છે તે આજે પણ નહિ બદલાએલા સમાજમાં નજરે પડે છે.
ચતુર દૃષ્ટિવાળા કલાવિવેચકો આ કળાના નમૂના નેતાં જ તેની potency–સર્જક અને પ્રેરક શક્તિ સ્વીકારશે, એટલું જ નહિ પણ દેશની કળાને તેમાંથી નવો માર્ગ જડશે એમ માનવું ભૂલભરેલું નહિ ગણાય. આજે કળા એટલે શાળા પાદિત વસ્તુ નહિ, પણ પ્રજાની ઊર્મિ અને ઉલ્લાસમાંથી સર્જાએલી નવસૃષ્ટિ એમ સ્વીકારીએ તો નવસર્જનના પાયામાં યે આ કળાનાં તો ઉપયોગી થઈ પડવાનાં જ.
રવિશંકર મ. રાવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org