Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 24
________________ ૨૧ ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળા આવે છે), જેટલી જગ્યામાં ચિત્ર દોરવાનું હોય તેટલી જગ્યામાં, પ્રથમ લગાડવામાં આવતાં. તેની પાછળની પૃષ્ઠભૂમિ માટે ભાગે ઘેરા રાતા રંગમાં કરવામાં આવતી અને તેના ઉપર રંગની ભૂકી એવી રીતે લગાડવામાં આવતી કે ચિત્ર પોતે સુવર્ણમય જ લાગે. બાહ્ય રેખાઓ અને આંખો, આંખનાં પિપચાં, કાન, આંગળીઓ વગેરે પછીથી કાળા રંગમાં રંગવામાં આવતાં હતાં. જે છબચિત્રો આ રીતે દોરવાનું પરિણામ એ આવ્યું કે સ્ત્રી અને પુરુષોની મુખાકૃતિઓ, તેમનાં વસ્ત્રો અને પુષ્પાદિથી રચેલા બીજા અલંકારો જાણે સોનાથી સપાટ ચીતરેલાં હોય એમ જણાય છે. ચિત્રને જ્યારે આપણે બાજુ ઉપરથી તપાસતા હોઈએ ત્યારે જણાય છે કે આવી છબિના ચહેરામાં નાકને કેટલીક વખત લાલ રંગથી રંગવામાં આવતું હતું. આ રીતે ચિત્ર તો સંપૂર્ણ દોરાતું; પણ હવે તેમાં રંગ પૂરવાને પીછી ઉપર આસમાની રંગ લેવાતો અને વસ્ત્ર તથા બીજા ભાગો ઉપર તે જરૂર પૂરતો મૂકવામાં આવત; તેમજ મનુષ્ય અને પ્રાણીઓના શરીરના ગેળ ભરાવદાર ભાગે જેવી કેટલીક જગ્યાએ એ જાડી પછીથી રંગ પૂરી તે પ્રમાણમાં ઘટ-ઘૂલ દેખાય તેમ કરાતું. વેત ખાલી જગ્યાઓ કોઈક વાર ઇરાદાપૂર્વક રાખવામાં આવતી, પણ કયારેક સુવર્ણનાં પાનાં ચોટાડતાં અકસ્માતથી પણું રહી જતી. સાધુઓનાં સફેદ કપડાં બતાવવા માટે તો મોતીના રંગ જેવો છે રંગ કયારેક વપરાતો. બહુ જ ઓછા પ્રસંગે એક પાંચમ રંગ વપરાશમાં લેવાતો. એ રંગ તે બહુ જ સુંદર ઘેરો મોરથુથી જેવો લીલો રંગ. પ્રાચીન હસ્તપ્રતોના ચીતરનારાઓના રંગસંભારમાં આ સિવાય બીન કોઈપણ રંગો મળી આવતા નથી. પણ પછીના વખતની કાગળના સમયની હસ્તપ્રતોમાં કેટલીકવાર સુવર્ણરંગની જગ્યા પીળા રંગે અને રાતા રંગની પૃષ્ઠભૂમિની જગ્યા આસમાની રંગે લીધેલી લાગે છે, જૈનાશિત કળાનાં નાનાં છબિચિત્રો દોરવામાં શરીરના પ્રત્યેક અંગ પ્રત્યંગ દોરવાની રચના વાસ્તવિક તુલના ઉપર બાંધવામાં આવતી હતી. શિપકળાને ગાર માં મુખ્ય ભાગ ભજવે છે. કોતરકામવાળી ઊપસેલી વેલો અને છોડવાઓ કાં તે એક જ શિલીના બનાવાતા અગર કુદરત ઉપરથી પણ બનાવવામાં આવતા. પશુઓ અને પક્ષીઓનાં ચિ, ખાસ રંગથી રંગેલા રાજહંસ, સફેદ રંગના હાથીઓ, ઘોડાઓ, હરણો, વિવિધ જાતનાં નૃત્યચિત્રો વગેરે કિનારીની ઉપર તથા આજુબાજુના હાંસીઆઓમાં શોભા આપનારા પદાર્થો તરીકે જવામાં આવતા; તેમજ જૈન ધર્મનાં આઠ પવિત્ર પ્રતીક-અષ્ટ મંગલ–નો તથા ચૌદ રવMાદિનો પણ તેવી જ જાતને ઉપયોગ કરવામાં આવતે. આ કળાનાં આ નાનાં છબિચિત્રોનું અસ્તિત્વ ન હોત તો આપણને તે જૂના કાળનો પરિચય નહિવત અથવા બહુ જ અપ હોત. આ ચિત્રો તે સમયના જીવનનું અને સરકારનું જે જ્ઞાન આપણને પૂરું પાડે છે તે બહુ જ કિંમતી છે. ખરેખર તે ઉપરથી આપણે જન્મથી માંડી મરણ પતના સમસ્ત જીવનના દરેક ભાગનું વિશ્વસનીય અને બહુવિધ દશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.. આવાં નાનાં છબિચિામાં ચીતરાએલી દયક્તિએના ચહેરાની તાદસ્યતા કે તેમના ચારિત્ર્યની છાપ તેમાં પાડવાની શક્તિ એ ચિત્રકારોમાં હોય એમ છવું એ વધારે પડતું ગણાય. વસ્તુતઃ સર્વ મહાપુરુષો અને સાધુઓ, દેવો અને દેવીઓ, રાજાઓ અને રાણીઓ, સુભટો અને સ્ત્રીપુરુષો જે પ્રાચીન ચિત્રકારોએ ચીતર્યા છે તે જાણે એક ચે કક્કસ બીબામાંથી નીકળ્યાં હોય તેવાં જણાય છે. સુપ્રસિદ્ધ કલામર્મજ્ઞ ડૅ. આનંદકુમારસ્વામી આ કળાને નીચેના શબ્દોમાં અભિનંદન આપે છે: That the handling is light and casual does not imply a poverty of craftsmanship (the quality of roughness in 'primitives' of all ages seems to unsophisticated observers a defect), but rather perfect ade Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84