Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 39
________________ ૧૨ જેન ચિત્રકપલના લગનું વર્ણન. ચિત્ર ૧૧માં ત્રિશલા માતા મહાવીરના મુખ જોઈ રહેલાં છે અને તે એકલાં જ છે, ત્યારે આ ચિત્રમાં ત્રિશલાના હાથમાં મહાવીર બાળક રુપે છે; પરંતુ તેણી ને નજર સ્ત્રી-રેકર જે પણ આગળ ઉભી છે તેની સન્મુખ છે અને ડાબા હાથે ત્રિશલા તે સ્ત્રી-નાકરને પુત્રજન્મની ખુશાલીમાં કાંઈક ના આપતાં હોય એમ લાગે છે. છતના ભાગમાં દર બાંધે છે. પલંગની ચેિ ચિત્રની જમણી બાજુથી અનુક્રમે શેક કરવા માટે સગડી તથા પગ મૂકીને ઊતરવા માટે પાદપીઠ છે. પાદપીઠ ઉપર રમકડા જેવી કાંઈક વસ્તુ છે જે સ્પષ્ટ સમજી શકાતી નથી અને થુંકવા માટે પીચદાની છે. આ ચિત્ર મૂળ ચિત્ર કરતાં મેટું કરીને અત્રે રજુ કરેલું છે. ચિત્ર ૧૮ અષ્ટ મંગલ–ઇડરની પ્રતના પાના ૨ ઉપરથી. અષ્ટમંગલનાં નામો અનુક્રમે નીચે પ્રમાણે છે: (૧) દર્પણ, (૨) ભદ્રાસન, (૩) વર્ધમાન સંપુટ, (૪) પૂર્ણ-કલશ, (૫) શ્રીવત્સ, (૬) મત્સ્યયુગલ, () સ્વસ્તિક, (૮) ન ધાવર્ત. વિસ્તૃત વર્ણન માટે જુઓ ‘જેન ચિત્રકપદમ'માં આજ પ્રકારના ચિત્ર ૫૯નું વર્ણન. ચિત્ર ૧૯ શ્રી પાર્શ્વનાથને જન્મ-ઈડરની પ્રતના પાના ૫૮ ઉપથી. મૂળ કદ ૨*૨ ઇંચ ઉપરથી મોટું કરાવીને અત્રે રજુ કરેલું છે. આ બે ચિત્ર સેનાની શાહીથી ચીતરેલું છે, ‘તે કાળે અને તે સમયે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજું પખવાડિયું (પ માસનું કરુણ પખવાડિયું) વર્તતું હતું. તે પોષ માસના કૃણ પખવાડિયાની દશમ (ગુજરાતી માગશર વદી દશમ)ની તિથિને વિષે નવ માસ બરાબર પૂર્ણ થતાં અને ઉપર સાડાસાત દિવસ વ્યતીત થતાં મુખ્યરાત્રિને વિષે વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી તે વામા દેવા રોગરહિત પુત્રને જન્મ આપ્યો.” ચિત્રમાં રાવણના પલંગ ઉપર બિછાવેલી ફલની ચાદરવાળી સુગંધીદાર સંકોમળ શય્યા ઉપર વીમાદેવી સુતાં છે, જમણા હાથમાં પાકુમારને બાળક રૂપે પકડેલા છે અને તેમની મુખ કોઈ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકીએ છે. આખું શરીર વસ્ત્રાભૂષણોથી સુસજિત છે. દરેક વસ્ત્રમાં જુદીજુદી જાતની ડિઝાઇન ચીતરેલી છે. પલંગ ઉપર ચંદવો બાંધલ છે. પલંગની નીચે પાણીની ઝારી, ધૂપધાણું, સગડી તથા ઘૂંકદાની પણ ચીતરેલાં છે. તેણીના પગ આગળ એક સ્ત્રી-નોકર જમણા હાથમાં ચામર ઝાલીને પવન ટાળતી ચીતરેલી છે. ચિત્ર ૨૦ શ્રી મહાવીરનિવાંઈડરની પ્રતના પાના પર ઉપરથી. ચિત્ર મૂળ કદ ૨૪૨૩ ઇચ ઉપરથી મોટું કરાવીને અત્રે રજુ કરવામાં આવ્યું છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨નું આ પ્રસંગને લગતું વર્ણન. ચિત્રમાં ફક્ત બંને બાજુનાં ઝાડની રજુઆત જુદા પ્રકારની છે તથા બંને બાજુ ઈ% સીદકથી વરેલા સુવર્ણકલશ ઝાલીને કોભા છે તે સિવાય બધી બાબતમાં સમાનતા છે. ચિત્ર ૨૧ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિને શ્રીજયસિહદેવની વ્યાકરણ રચવા માટે પ્રાર્થના-પાટણના તપોગર અને ભંડારની તાડપત્રની પોથી ૧૯, પત્ર ૩૫૦માં બે વિભાગ છે. પહેલા વિભાગમાં પત્ર ૧ થી ૨૯૭ સુધી સિદ્ધહેમચંદ્ર વ્યાકરણવૃત્તિ છે અને બાળ વિભાગમાં સિદ્ધ ચિત્ર વ્યાકરણાંતર્ગત ગણપાઠ પત્ર ૨૯૮થી ૩પ૦ સુધી છે, અંતમાં લેખક વગેરેની પુપિકા આદિ કશું યે નથી. પ્રતના પત્રની લંબાઈ ૧૨ફ દ ની અને પહોળાઈ ફક્ત ૨ ઇંચની છે, અત્રે રજુ કરેલાં ચિત્રો પહેલા વિભાગના પત્ર ૧-૨ અને ૨૯૬–૨૯૭ ઉપરથી લીધેલાં છે. આ ચિત્રા પૈકીનાં પહેલાં બે (૨૧-૨૨ ) ગુજરાતના ઇતિહાસ માટે બહુ જ મહત્વનાં હોવાથી મૂળ રંગમાં આ પુસ્તકનું ચિત્ર ૨૫-૨૬ તરીકે આપ્યાં છે. જુઓ પૃ. ૧છે. ‘એક વખતે અવંતિ ભંડારમાં રહેલાં પુસ્તકે ત્યાં નિયુકત પુરષોએ બતાવતાં તેમાં એક લક્ષશાસ્ત્ર (વ્યાકર) રા'ના જેવામાં આવ્યું. એટલે તેણે ગુરુને પૂછયું કે આ શું છે ? ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84