Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 16
________________ ૬િ ના ! હવે મારે બીજા પુત્ર નથી જોઇતો આપણે એમને સૂર્યમતીબહેન કહીશું. એમની ઉમર ૩૨ વર્ષની. પોતે સરકારી ગેઝે ટેડ કક્ષાના અધિકારીના પત્ની. એમનો એકનો એક ચાર વર્ષનો પુત્ર ટૂંકી બીમારીમાં જ સ્વર્ગવાસી બન્યો. સંસારની ભયંકરતા, વસ્તુની અનિત્યતા, અશરણતા આદિની વાતો એમણે સદગુરુઓની પાસેથી સાંભળી હતી, વાંચી હતી. પુત્ર મૃત્યુ બાદ એમને હાથ જોડીને પોતાના શ્રાવક પતિને વાત કરી, “આપણે હવે કવિપાકવાળા સંસારભોગથી સર્યું ! તમો સંમત થાવ તો હવે આપણે બીજા પુત્ર પણ જોઇતો નથી અને સંસારભોગા પણ જોઇતા નથી. આપણે હવે સુગુરૂના મુખે ભગવંત સમક્ષ ચોથું વ્રત લઇ લઇએ તો કેમ ?” એમના પતિ તુરત તો આ વાત સ્વીકારવા તૈયાર ન થયા. પણ બહુ જ ટૂંકા સમયમાં એ બન્ને પતિ-પત્ની સગુરૂની અંગત પ્રેરણાથી ચતુર્થ વ્રતધારી બન્યા... સંસારમાં રહીને પણ એ યુવાન પતિ-પત્નીએ બ્રહ્મચર્ય વ્રત સુંદર રીતે પાલન કર્યું. પોતાના પતિને ઘરની ચાવી આપવાની હોય તો પણ એ બ્લેન કદાપિ અડીને ના હોતા આપતા. પણ દૂરથી જ અડકયા વગર આપે. સાથે એક જ ઘરમાં રહેવા છતાં એ કદાપિ એક જ રૂમમાં સુતા નથી! એટલું જ નહિ રાતના પોતાના રૂમને એ અંદરથી બંધ કરી સુઇ જતા! આજે પણ એ દેશવિરતિપણે પાલન કરી રહ્યા છે ધન્ય જિનશાસન જ્યાં આવા સ્ત્રીરત્નો મળતાં રહે છે. જૈન આદર્શ પ્રસંગો – ૧ 5 5 [૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52